/indian-express-gujarati/media/media_files/2026/01/16/budget-2026-nirmala-sitharaman-2026-01-16-17-56-25.jpg)
Nirmala Sitharaman Presented Budget 2026 : નિર્મલા સીતારમણ બજેટ 2026 સંસદમાં રજૂ કરશે. Photograph: (Express Photo)
Budget 2026 Nirmala Sitharaman : બજેટ 2026 આગામી 1 ફેબ્રુઆરી રવિવારે સંસદમાં રજૂ થશે. દેશના પૂર્ણસમયના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ 9મું કેન્દ્રિય બજેટ હશે. તેમણે જુલાઇ 2019માં પ્રથમવાર દેશનું યુનિયન બજેટ રજૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેઓ 8 વખત બજેટ રજૂ કરી ચૂક્યાં છે.
અગાઉ તેઓ સંરક્ષણ પ્રધાન અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન (નાણાં મંત્રાલય) અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. અરુણ જેટલીના નિધન બાદ તેમને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો હતો. ત્યારથી આ નાણાં મંત્રાલય તેમની સાથે છે. બજેટ 2026 થી લોકોને ઘણી અપેક્ષાઓ છે.
નિર્મલા સીતારમણ કેટલું ભણેલા છે?
નિર્મલા સીતારમણની ગણતરી મોદી કેબિનેટના સૌથી શિક્ષિત નેતાઓમાં થાય છે. તેમણે અર્થશાસ્ત્રમાં ત્રણ ડિગ્રી મેળવી છે. આ ડિગ્રીએ તેમને તેમની રાજકીય કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ કરવામાં મદદ કરી છે. નિર્મલા તાઈનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેમણે વિલ્લુપુરમની સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. પ્રારંભિક શિક્ષણ પછી, તેમણે મદ્રાસ (હવે ચેન્નાઇ) અને તિરુચિરાપલ્લીમાં તેમનું શિક્ષણ ચાલુ રાખ્યું.
નિર્મલા સીતારમણ ક્યાંથી સ્નાતક થયા છે?
નિર્મલા સીતારમણને શાળાના દિવસોથી જ અર્થશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનમાં રસ હતો. બાદમાં તેમણે પોતાની કારકિર્દીને વ્યાખ્યાયિત કરવા માટે પણ તેને પસંદ કર્યું. તેઓ તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. આ સંસ્થા શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ પર ભાર મૂકવા માટે જાણીતી છે. તેમના અભ્યાસ દરમિયાન, નિર્મલા તાઈએ વિવિધ શૈક્ષણિક અને ઇત્તર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના દ્વારા તેમણે તેમની નેતૃત્વ કુશળતા વધારી હતી.
JNU માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન
ગ્રેજ્યુએશન બાદ નિર્મલા સીતારમણ આગળના અભ્યાસ માટે દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ઓફ આર્ટ્સ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો. જેએનયુ તેના કડક શૈક્ષણિક વાતાવરણ અને ગતિશીલ બૌદ્ધિક સમુદાય માટે પ્રખ્યાત છે. અહીં તેઓ અદ્યતન આર્થિક સિદ્ધાંતોમાં વ્યસ્ત હતા.
આ પણ વાંચો | બજેટ 2026માં નિર્મલા સીતારમણ બનાવશે બે રેકોર્ડ, બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે
JNU માંથી એમ.ફિલની ડિગ્રી મેળવી
નિર્મલા સીતારમણે જેએનયુમાંથી એમએ કર્યું અને અહીંથી વધુ અભ્યાસ કર્યો. તેમણે એમ.ફિલ અર્થશાસ્ત્રમાં એડમિશન લીધું હતું. આ સમય દરમિયાન તેનું રિસર્ચ ઇન્ડો-યુરોપિયન ટેક્સટાઇલ બિઝનેસ પર હતો. નિર્મલા સીતારમણે એમએ અને એમફિલ દરમિયાન અર્થશાસ્ત્રમાં તેમની કુશળતાને વધુ મજબૂત બનાવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us