ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી અપડેટ, બન્ને દેશોમાં વાતચીત યથાવત્, વેપાર સમજુતી થવાની આશા

India-US trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડીલને લઈને મોટી માહિતી સામે આવી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે.

India-US trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડીલને લઈને મોટી માહિતી સામે આવી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે.

author-image
Ashish Goyal
New Update
India US Trade deal

ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ વાતચીત

India-US trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડીલને લઈને મોટી માહિતી સામે આવી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ઊંચા ટેરિફ હોવા છતાં અમેરિકામાં ભારતની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ રહી છે.

Advertisment

કોમર્સ સેક્રેટરીએ કહ્યું કે બંને પક્ષો વેપાર સોદા પર વાટાઘાટો કરી રહ્યા છે અને બંને પક્ષોને લાગે છે કે વેપાર ડીલ થઈ શકે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે જેના પર ચર્ચા ચાલી રહી છે. તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ જાહેરાત ત્યારે જ કરવામાં આવશે જ્યારે બંને દેશો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા, ચીન અને યુએઈના ત્રણેય મોરચે ભારતનો વેપાર મજબૂત છે. વાણિજ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે ભારતનો વેપાર માત્ર અમેરિકા સાથે જ નહીં, પરંતુ ચીન અને યુએઈ સાથે પણ સારો ચાલી રહ્યો છે.

Advertisment

ઉચ્ચ સ્તરીય વાતચીત ચાલુ

પીયુષ ગોયલ અને યુએસટીઆર વચ્ચે 10 અને 11 ડિસેમ્બરના રોજ ડેપ્યુટી યુએસટીઆર રિક સ્વિત્ઝરની આગેવાની હેઠળના યુએસટીઆર ઓફિસના અધિકારીઓના પ્રતિનિધિમંડળે નવી દિલ્હીના પ્રવાસ પછી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં ભારતમાં અમેરિકી રાજદૂત સર્ગીયો ગોરેએ પદ સંભાળ્યું હતું અને 14 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિને પોતાના ઓળખપત્રો સોંપ્યા હતા.

13 જાન્યુઆરીએ વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં વેપાર તેમજ મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ સહયોગ, સંરક્ષણ અને ઉર્જા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઊંચા ટેરિફ છતાં 7 બિલિયન ડોલર એક્સપોર્ટ

ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આટલા ઊંચા ટેરિફ હોવા છતાં ભારત દર મહિને અમેરિકાને લગભગ 7 બિલિયન ડોલરની નિકાસ કરી રહ્યું છે. આ દર્શાવે છે કે નિકાસ ક્ષેત્રોની પકડ મજબૂત છે અને ટ્રમ્પના ટેરિફનું ભારત દ્વારા વૈવિધ્યકરણ દ્વારા સારી રીતે સંચાલિત કરવામાં આવ્યું છે.

અનિશ્ચિતતા વચ્ચે નિકાસમાં વધારો

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ડિસેમ્બર 2025માં દેશની નિકાસ 1.87 ટકા વધીને 38.5 અબજ ડોલર થઈ ગઇ હતી, પરંતુ આયાતમાં તીવ્ર વધારાને કારણે વેપાર ખાધ નજીવી રીતે વધીને 25 અબજ ડોલર થઈ ગયો છે. આજે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.

સત્તાવાર આંકડા મુજબ ડિસેમ્બરમાં દેશની આયાત 8.7 ટકા વધીને 63.55 અબજ ડોલર રહી હતી. આ સાથે વેપાર ખાધ નજીવી વધીને 25.04 અબજ ડોલર થઈ ગઈ છે. તે નવેમ્બર 2025 માં 24.53 અરબ ડોલર અને ડિસેમ્બર 2024 માં 22 અરબ ડોલર હતી. આ સાથે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં દેશની કૂલ વસ્તુ નિકાસ 2.44 ટકા વધીને 330.29 અબજ ડોલર થઈ છે.

આ પણ વાંચો - સંસદીય સમિતિ સામે જસ્ટિસ જયવંત વર્માએ આપ્યો જવાબ, કહ્યું - હું દિલ્હીમાં ન હતો, ઘરમાંથી રોકડા મળ્યા નથી

ટ્રેડ ડેટા પર પત્રકારો સાથેની વાતચીતમાં વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતની નિકાસ સકારાત્મક વલણ બતાવી રહી છે. તેમણે કહ્યું કે હાલના વલણોને જોતા અમે અપેક્ષા રાખીએ છીએ કે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ નિકાસ (માલ અને સેવાઓ) 850 અબજ ડોલરને પાર કરશે. 

ગયા મહિને નિકાસનું નેતૃત્વ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, મરીન પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોએ કર્યું હતું. આ સાથે અમેરિકા, ચીન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ભારતની નિકાસ સતત વધી રહી છે.

બિઝનેસ નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ દેશ અમેરિકા