International Yoga Day 2024: યોગમાં આખા શરીરને સ્વસ્થ કરવાની ક્ષમતા છે. યોગ માનસિક રીતે તો તંદુરસ્ત રાખે જ છે, સાથે સાથે તે તમને શારીરિક રીતે તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ કોઇ પણ કામ કરવાની એક યોગ્ય રીત હોય છે જેમ કે, યોગ પહેલા અને પછી પાણી ક્યારે પીવું, યોગ કર્યા પછી ેતમારો ડાયટ કેવો હોવો જોઈએ. જેનાથી તમારા શરીરને યોગનો સંપૂર્ણ ફાયદો મળે છે અને પાચન તંત્ર પર પણ અસર થતી નથી. તો આવો, યોગ સાથે જોડાયેલી આ બાબત વિશે વિસ્તાર પૂર્વક જાણીએ.
યોગ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?
યોગ કર્યા પછી 30 મિનિટ સુધી સ્નાન, પાણી કે ભોજન ન કરવું. સરળ શબ્દમાં કહીયે તો તમારે યોગ કર્યા પછી લગભગ 30 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ. આ તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત યોગ કર્યા બાદ તરત જ પાણી પીવાથી વટ-પિત્ત અને કફની સમસ્યા થઈ શકે છે. વળી, તમને શરદી-ગરમીની સમસ્યા થઈ શકે છે જેના કારણે તમને લાંબા સમય સુધી શરદી થઈ શકે છે. તો આ બધી સમસ્યાથી બચવા માટે યોગ અભ્યાસ કર્યાના 30 મિનિટ બાદ પાણી પીવો.

યોગ કર્યા પછી કેવો આહાર લેવો (Diet After Yoga)
યોગ કર્યા પછી ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સાથે ઓછામાં ઓછું અડધો લિટર પાણી પીવું હિતાવહ છે. આ ઉપરાંત તમે આ વસ્તુઓ ખાઈ શકો છો
જેમ કે સોયા, ફણગાવેલા કઠોળ જેવા કે મગ અને ચણા, ફળ કે ગ્રીન સ્મૂધી, કેળા, બદામ અને બાફેલા શાકભાજી,ઓટ મીલ, ઈડલી, પૌંઆ અને ઉપમા વગેરે જેવા ઘરે બનાવેલા ભોજન ખાઇ શકાય છે.
આ પણ વાંચો | આ 3 યોગ કરવાથી બ્લડ શુગર કંટ્રોલ થશે, ડાયાબિટીસ દર્દી માટે અસરકારક
આ પછી બપોરના ભોજનમાં અડદની દાળ, ચોખા, દહીં અને ખીચડી ખાઇ શકાય છે. ઉપરાંત તમે એક સફરજન ખાઈ શકો છો જે મીઠી ચીજ ખાવાની તૃષ્ણાને ઓછી કરવામાં મદદ કરે છે. તમે કાચુ પનીર પણ ખાઈ શકો છો. તે પ્રોટીનથી ભરપૂર છે અને યોગ કર્યા પછી તમને ઉર્જા આપે છે. તેમજ યોગ બાદ શરીરને સ્વસ્થ કરવામાં પણ મદદ કરે છે અને માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તો, યોગ બાદ ડાયટમાં આ બાબતનું ધ્યાન રાખો.





