Success Story: કોરોનાકાળમાં સુરતના બે ભાઈઓએ શરૂ કરી જોર્કો બ્રાન્ડ, બનાવી દીધી રૂ.100 કરોડની કંપની

ZORKO Success Story: સુરતના એક મધ્યમ વર્ગના પરિવારના નાહર ભાઈઓએ 2021માં એક રેસ્ટોરન્ટ ખરીદી હતી જે કોરોનાને કારણે બંધ થઈ ગઈ હતી. તેમણે તેમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું અને તેમના ફૂડ કરિયરની શરૂઆત કરી. તેમનો બિઝનેસ ફ્રેન્ચાઈઝી મોડલ પર ચાલે છે.

Written by Rakesh Parmar
Updated : January 28, 2025 16:46 IST
Success Story: કોરોનાકાળમાં સુરતના બે ભાઈઓએ શરૂ કરી જોર્કો બ્રાન્ડ, બનાવી દીધી રૂ.100 કરોડની કંપની
જોર્કો બ્રાન્ડ અત્યાર સુધીમાં રૂ. 100 કરોડના આંકડા સુધી પહોંચી ગઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Success Story: જીવનમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ પોતાના શોખને પોતાના પ્રોફેશન તરીકે પસંદ કરે છે. કોરોના સમયગાળા દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી, જેના કારણે લોકોએ આજીવિકાના સાધન તરીકે અને શોખ તરીકે વિવિધ ખાદ્યપદાર્થો બનાવવાનું કે વેચવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમણે ફૂડ ટ્રક અને હોટેલ સુધી ફૂડ સ્ટોલ લગાવવાનું નક્કી કર્યું હતું. આવી જ શરૂઆત 2021માં નાહર ભાઈઓએ કરી હતી. બંને ભાઈઓ આનંદ નાહર અને અમૃત નાહર ખોરાક પ્રત્યે એટલા શોખીન હતા કે તેઓએ એક બ્રાન્ડ શરૂ કરી દીધી.

આ રીતે તેની શરૂઆત થઈ

સુરતના એક મધ્યમ વર્ગના પરિવારના નાહર ભાઈઓએ 2021માં એક રેસ્ટોરન્ટ ખરીદી હતી જે કોરોનાને કારણે બંધ થઈ ગઈ હતી. તેમણે તેમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું અને તેમના ફૂડ કરિયરની શરૂઆત કરી. તેમનો બિઝનેસ ફ્રેન્ચાઈઝી મોડલ પર ચાલે છે. સુરતમાં પ્રથમ રેસ્ટોરન્ટ સિવાય તેમની પાસે 150 થી વધુ ફ્રેન્ચાઈઝી આઉટલેટ્સ છે.

એન્જિનિયર ભાઈઓ વેપારી બન્યા

આનંદ અને અમૃત બંને ભાઈઓ એન્જિનિયર છે અને આનંદે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે જ્યારે અમૃતે Environmental Engineeringમાં B.E કર્યું છે. એન્જીનિયરિંગ પછી આનંદ 2016 માં શેરબજારમાં જોડાયો હતો. તેણે બ્રોકરેજ ફર્મમાં ફ્રીલાન્સ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે પછી અમૃતે પણ શેરબજારમાં પ્રવેશ કર્યો. પછી 2020 માં કોરોનાના સમયગાળા દરમિયાન, નાહર ભાઈઓએ ઘરે રસોઈ બનાવવા અને નવી વાનગીઓ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. બંને રસોઈની મજા લેવા લાગ્યા હતા. બાદમાં તેમણે રસોઈ બનાવવાનો શોખ કેળવ્યો, ત્યારબાદ તેમણે તેમાં કારકિર્દી બનાવવાનું સપનું જોયું. આ વખતે તેમણે એક કાફે શરૂ કરવાની યોજના બનાવી હતી જે સસ્તા ભાવે ઉત્તમ ગુણવત્તાવાળું ભોજન પ્રદાન કરશે.

આ પણ વાંચો: અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી, CCTV આવ્યા સામે

જોર્કો બ્રાન્ડની શરૂઆત નાહર ભાઈએ કરી હતી

નાહર બંધુઓએ જોર્કો બ્રાન્ડી શરૂ કરી અને ધીમે ધીમે સખત મહેનત દ્વારા દેશમાં ઘણી જગ્યાએ આ બ્રાન્ડના આઉટલેટ શરૂ કર્યા. આજે જોર્કોના દેશના 42 થી વધુ શહેરોમાં આઉટલેટ્સ છે. આ આઉટલેટ્સની સંખ્યા 250 થી વધુ છે. નાહર બ્રધર્સ આ વ્યવસાય દ્વારા 400 થી વધુ લોકોને રોજગારી આપે છે. જોર્કો બ્રાન્ડ અત્યાર સુધીમાં રૂ. 100 કરોડના આંકડા સુધી પહોંચી ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ