આજનો ઇતિહાસ 10 ફેબ્રુઆરી : કાશી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?

Today history 10 February : આજે 10 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1921માં 10 ફેબ્રુઆરીના રોજ કાશી વિદ્યાપીઠની સ્થાપના થઇ હતી. વર્ષ 1979માં ઇટાનગરને અરુણાચલ પ્રદેશની રાજધાની બનાવાઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાંબનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 10, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 10 ફેબ્રુઆરી : કાશી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?
Kashi Vidyapeeth : કાશી વિદ્યાપીઠ (Photo - mgkvp.ac.in)

Today history 10 February : આજે તારીખ 10 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1921માં 10 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધીએ કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ત્યાબાદ વર્ષ 1995માં નામ બદલીને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠકરવામાં આવ્યુ હતુ. કાશી વિદ્યાપીઠ ભારતની આઝાદી ચળવળનું કાર્યક્ષેત્ર અને સમાજવાદીઓ માટેનું મુખ્ય કેન્દ્ર હતું.

વર્ષ 1929માં જહાંગીર રતનજી દાદાભાઇ ટાટા જેમને જેઆરડી ટાટા તરીકે ઓળખવામાં આવે છે તેઓ પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તો વર્ષ 1979માં ઇટાનગરને અરુણાચલ પ્રદેશની રાજધાની બનાવવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

10 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1495 – સર વિલિયમ સ્ટેનલીને ઈંગ્લેન્ડમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો.
  • 1616 – બ્રિટનના રાજદૂત સર થોમસ રો અજમેરમાં મુઘલ શાસક જહાંગીરના દરબારમાં આવ્યા.
  • 1763 – પેરિસની સંધિ હેઠળ ફ્રાન્સે કેનેડા બ્રિટનને આપ્યું. પેરિસની સંધિ ફ્રેન્ચ-ભારતીય યુદ્ધને સમાપ્ત કરે છે.
  • 1811 – રશિયન સૈનિકોએ બેલગ્રેડ પર કબજો કર્યો.
  • 1817 – બ્રિટન, પ્રશિયા, ઑસ્ટ્રિયા અને રશિયાએ ફ્રાન્સમાંથી તેમની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી.
  • 1818 – બ્રિટિશ અને મરાઠાઓ વચ્ચે ત્રીજું અને છેલ્લું યુદ્ધ રામપુર ખાતે લડાયું હતું.
  • 1828 – દક્ષિણ અમેરિકાના ક્રાંતિકારી સિમોન બોલિવર કોલંબિયાના શાસક બન્યા.
  • 1846 – સોબરાંવની લડાઈમાં અંગ્રેજોએ શીખોને હરાવ્યા.
  • 1879 – અમેરિકાના કેલિફોર્નિયા થિયેટરમાં લાઇટિંગ માટે પ્રથમ વખત વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • 1890 – રશિયન લેખક બોરિસ પેસ્ટરનાકનો જન્મ.
  • 1904 – જાપાન અને રશિયાએ યુદ્ધની જાહેરાત કરી.
  • 1912 – બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ અને ક્વીન મેરી ભારતમાંથી રવાના થયા.
  • 1916 – બ્રિટનમાં લશ્કરી ભરતી શરૂ થઈ.
  • 1918 – સોવિયેત નેતા લીઓ ટ્રોસ્કીએ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયાની પીછેહઠની જાહેરાત કરી.
  • 1921 – કાશી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન ગાંધીજીએ કર્યું હતું. ડ્યૂક ઓફ કનોટે ઈન્ડિયા ગેટનો શિલાન્યાસ કર્યો હતો.
  • 1929 – જે.આર.ડી. ટાટા પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.
  • 1933 – જર્મનીના સરમુખત્યાર હિટલરે માર્ક્સવાદના અંતની જાહેરાત કરી.
  • 1939 – જાપાની સૈનિકોએ ચીનના હેનાન ટાપુ પર કબજો કર્યો.
  • 1947 – નેધરલેન્ડ રેડિયો યુનિયનની સ્થાપના.
  • 1943 – બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સૈનિકો ટ્યુનિશિયાની સરહદે પહોંચ્યા.
  • 1959 – અમેરિકાના સેન્ટ લુઇસ ચક્રવાતમાં 19 લોકો મોત અને 265 ઘાયલ થયા.
  • 1961 – અમેરિકાએ વેસ્ટ ઈન્ડિઝમાં ઘણી સ્થળોએ પોતાનો દાવો છોડી દીધો.કેનેડામાં નાયગ્રા ફોલ્સ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી વીજળીનું ઉત્પાદન શરૂ થયું.
  • 1966 – યુરોપિયન દેશ બેલ્જિયમમાં હારમેલની સરકારે રાજીનામું આપ્યું.
  • 1969 – યુએસ, યુકે અને ફ્રાન્સે પશ્ચિમ બર્લિનની મુસાફરી પર જર્મન પ્રતિબંધને નકારી કાઢ્યો.
  • 1972 – સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1974 – ઇરાકે સરહદ અથડામણમાં 70 ઈરાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો.
  • 1979 – ઇટાનગરને અરુણાચલ પ્રદેશની રાજધાની બનાવવામાં આવી.
  • 1981 – ખગોળશાસ્ત્રી રાય પેન્થર દ્વારા ધૂમકેતુની શોધ.
  • 1984 – સોવિયેત રાષ્ટ્રપતિ યુરી એન્ડ્રોપોવનું મૃત્યુ.
  • 1991 – પેરુમાં કોલેરાના કારણે લોકો મૃત્યુ પામ્યા. યુરોપિયન દેશ લિથુઆનિયા સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા માટે મત આપ્યો.
  • 1992 – આંદામાન અને નિકોબાર ટાપુઓ વિદેશી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા.
  • 1996 – IBM સુપર કોમ્પ્યુટર ‘ડીપ બ્લુ’ એ ગેરી કાસ્પારોવને ચેસમાં હરાવ્યો.
  • 1998 – પર્યાવરણ સુધારણા કાર્યક્રમો માટે 35 દેશો દ્વારા ‘ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી’ પર આંતરરાષ્ટ્રીય કરાર, પાક વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા ‘પાકિસ્તાન-2000’ નામના કાર્યક્રમની જાહેરાત.
  • 2001 – અમેરિકાની ન્યુક્લિયર સબમરીન હોનોલુલુમાં જાપાનીઝ બોટ સાથે અથડાઈ, 10 વિદ્યાર્થીઓ ગુમ.
  • 2004 – બગદાદમાં પોલીસ સ્ટેશનની બહાર કાર બોમ્બ વિસ્ફોટમાં 45 લોકો મૃત્યુ પામ્યા.
  • 2005 – ડેમોક્રેટ સાંસદ ફ્રેન્ક પેલોને સુરક્ષા પરિષદમાં ભારતીય દાવાના સમર્થનમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ રજૂ કર્યું હતું.
  • 2008 – શ્રીલંકાના ઉત્તરમાં સૈનિકો અને LTTE વચ્ચેના સંઘર્ષમાં 42 બળવાખોરો માર્યા ગયા હતા.
  • 2009- સોમાલિયાના કિનારે ભારત-રશિયન નૌકાદળની સંયુક્ત કવાયત શરૂ થઈ. જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • 2013 – અલ્હાબાદમાં કુંભ મેળા દરમિયાન નાસભાગમાં 36 લોકો માર્યા ગયા જ્યારે 39 લોકો ઘાયલ થયા.

આ પણ વાંચો | 9 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ ક્યારે જારી થઇ હતી? જાણો ઇતિહાસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • કુમાર વિશ્વાસ (1970) – હિન્દી મંચના એકમાત્ર કવિ, જેમની કવિતા ભારતના લગભગ તમામ મોટા મોબાઈલ ઓપરેટરોની કોલર ટ્યુનમાં સમાવિષ્ટ છે.
  • પરમાનંદ શ્રીવાસ્તવ (1935) – હિન્દીના ટોચના વિવેચકોમાં સામેલ પ્રતિષ્ઠિત લેખક હતા.
  • કુરિયાકોસી ઇલ્યાસ ચાવારા (1805) – સીરિયન કેથોલિક સંત અને કેરળના સમાજ સુધારક.
  • દરબારા સિંહ (1916) – પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હતા.
  • સુરેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ (1915) – પ્રખ્યાત લેખક હતા.

આ પણ વાંચો |  7 ફેબ્રુઆરીનો ઇતિહાસ : હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મીના સ્થાપક કોણ હતા? વાંચો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સુદામા પાંડે ‘ધૂમિલ’ (1975) – પ્રખ્યાત હિન્દી કવિ.
  • ગુલશેર ખાન શાની (1995) – પ્રખ્યાત લેખક
  • રાજા બખ્તાવર સિંહ (1858) – મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા કસ્બાના શાસક હતા.

આ પણ વાંચો | 6 ફેબ્રુઆરીનો ઇતિહાસ : મોતીલાલ નહેરુ અને લતા મંગેશકરની પુણ્યતિથિ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ