આજનો ઇતિહાસ 25 મે : વિશ્વ થાઇરોઇડ દિવસ - શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થતા બીમારી લાગુ પડે છે

Today history 25 May : આજે 25 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ થાઇરોઇડ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 25 May : આજે 25 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ થાઇરોઇડ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Thyroid

વિશ્વ થાઇરોઇડ દિવસ

Today history 25 May : આજે 25 મે 2023 (25 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ થાઇરોઇડ દિવસ છે. થાઇરોઇડ રોગ એ શરીરમાં હોર્મોન્સ સંબંધિત બીમારી છે. આજે હિન્દી ફિલ્મોના અભિનેતા સુનીલ દત્ત અને પ્રખ્યાત ફિલ્મ સંગીતકાર લક્ષ્મીકાંતની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (25 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

25 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1995 - અમેરિકન વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત સજીવના ડીએનએ ડીકોડિંગમાં સફળતા મળી.
  • 1998 - યુરોપિયન યુનિયનના તમામ 15 સભ્ય દેશો પરમાણુ પરીક્ષણોને કારણે ભારત પર પ્રતિબંધ ન મૂકવા સહમત થયા.
  • 2003 - ચિલીએ પ્રથમ વખત વર્લ્ડ કપ ટેનિસ ટાઇટલ જીત્યું.
  • 2006 - નાસાએ GOESN નામનો હવામાન ઉપગ્રહ અવકાશમાં છોડ્યો. યુનાઇટેડ સ્ટેટ્સે જહાજ આધારિત ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
  • 2007 - શ્રીલંકાની સરકારે તમિલ શરણાર્થીઓને નાગરિકતા આપવાની સૈદ્ધાંતિક પરવાનગી આપી.
  • 2008 - કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોમાંથી 110 બેઠકો જીતીને, ભાજપ દક્ષિણ ભારતના રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવવામાં સફળ રહી. યુએનના મહાસચિવ બાન કી મૂને ચીનના ભૂકંપ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. યુરોપિયન યુનિયનની તર્જ પર દક્ષિણ અમેરિકા ખંડના 12 દેશોએ એક નવું સંગઠન બનાવ્યું. હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે વિવાદિત પુલાઉ બાટુ ટાપુ સિંગાપોરને સોંપી દીધો છે. કોલંબિયામાં બળવાખોર જૂથ રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ ઓફ કોલંબિયાના સ્થાપક અને ટોચના કમાન્ડરનું મૃત્યુ.
  • 2010 - ભારતીય મૂળના 59 વર્ષીય કમલા પ્રસાદ બિસેસર આઉટગોઇંગ વડા પ્રધાન પેટ્રિક મેનિંગને હરાવીને ત્રિનિદાદ અને ટોબેગોના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 24 મે : કોમનવેલ્થ ડે, બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાનો જન્મદિવસ

વિશ્વ થાઇરોઇડ દિવસ

વિશ્વ થાઇરોઇડ દિવસ દર વર્ષે 25 મેના રોજ ઉજવાય છે. થાઇરોઇડ એ એક હોર્મોન્સ સંબંધિત બીમારી છે. આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા હેતુ વર્ષ 2008માં પહેલીવાર અમેરિકન થાઇરોઇડ એસોસિએશન (એટીએ) અને યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન (ઇટીએ) દ્વારા વિશ્વ થાઇરોઇડ દિવસ મનાવવામાં આવ્યો હતો. શરીરને યોગ્ય રીતે કામગીરી કરવા માટે વિવિધ હોર્મોન્સની જરૂર પડે છે. થાઇરોઇડ પણ શરીરમાં હાજર હોર્મોનનો એક પ્રકાર છે. આ હોર્મોન શરીરમાં મેટાબોલિઝમ વધારવા અને કોષોને નિયંત્રિત કરવાનું કામ કરે છે. થાઇરોઇડ હોર્મોન પતંગિયાના આકારમાં શરીરમાં હાજર થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ ગ્રંથિ શરીરમાં બે આવશ્યક હોર્મોન્સ ઉત્પન્ન કરે છે - T1 અને T4. જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં ખામી સર્જાય છે, ત્યારે તેની કામગીરીમાં વિક્ષેપ પડે છે. આવી સ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન કરી શકતી નથી, અથવા તે ખૂબ જ હોર્મોન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આ સ્થિતિને થાઇરોઇડ રોગ કહેવામાં આવે છે. વિશ્વભરમાં કરોડો લોકો થાઇરોઇડ રોગથી પ્રભાવિત છે. આ બીમારીના ઘણા પ્રકારો છે, જેમ કે - હાયપરથાઇરોઇડિઝમ, હાઈપોથાઇરોઇડિઝમ, થાઇરોઇડિસ અને હાશિમોટોના થાઇરોઇડિસ છે.

Advertisment

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 23 મે : વિશ્વ કાચબા દિવસ, તિબ્બત મુક્તિ દિવસ, તિબ્બતવાસીઓ માટે કાળો દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • દાગ દેહલવી (1831) - પ્રખ્યાત ઉર્દૂ કવિ.
  • રાસ બિહારી બોઝ (1886) - જાણીતા વકીલ અને શિક્ષણશાસ્ત્રી

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 22 મે : આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ – કુદરતી અને પર્યાવરણના સંતુલન માટે જૈવવિવિધતાનું સંરક્ષણ જરૂરી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બલબીર સિંહ (2020) - ભારતના પ્રખ્યાત હોકી ખેલાડી હતા.
  • ભાગવત રાવત (2012) - પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા.
  • રજનીકાંત એરોલ (2011) - ભારતીય સામાજિક કાર્યકર હતા.
  • તપન ચટ્ટોપાધ્યાય (2010) - બંગાળી અભિનેતા.
  • સુનીલ દત્ત (2005) - હિન્દી ફિલ્મોના અભિનેતા અને રાજકારણી
  • લક્ષ્મીકાંત (1998) - હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર.
  • બિરેન મિત્રા (1978) - ભારતીય રાજકારણી અને ઓડિશાના મુખ્યમંત્રી હતા.
  • કૃષ્ણ ચંદ્ર ગજપતિ (1974) - ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.
  • બાસડિયો પાંડે (1933) - ત્રિનિદાદ અને ટોબેગોના ભૂતપૂર્વ વડા પ્રધાન.
  • સર આશુતોષ મુખર્જી (1924) - બંગાળના પ્રખ્યાત બેરિસ્ટર અને શિક્ષણશાસ્ત્રી હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 21 મે : એન્ટી ટેરરિઝમ ડે, રાજીવ ગાંધીની પૃણ્યતીથિ, ઇન્ટરનેશનલ ટી ડે

health tips knowledge આજના દિવસનો ઇતિહાસ કરિયર ટ્રેન્ડિંગ ન્યૂઝ