Human sacrifice: સેલવાસમાં નવ વર્ષના બાળકની કથિત નરબલિ, સગીર સહિત બેની ધરપકડ

selva crime news : એક નવ વર્ષના બાળકની લાશ વલસાડમાં મળ્યાના એક સપ્તાહ બાદ પોલીસે મંગળવારે બે લોકોની ધરપકડ કરી છે. આ બે આરોપીઓમાં એક સગીર પણ છે.

selva crime news : એક નવ વર્ષના બાળકની લાશ વલસાડમાં મળ્યાના એક સપ્તાહ બાદ પોલીસે મંગળવારે બે લોકોની ધરપકડ કરી છે. આ બે આરોપીઓમાં એક સગીર પણ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

પ્રતિકાત્મક તસવીર

DNH Human Sacrifice Case: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં એક નવ વર્ષના બાળકની લાશ વલસાડમાં મળ્યાના એક સપ્તાહ બાદ પોલીસે મંગળવારે બે લોકોની ધરપકડ કરી છે. બંને કથિત રૂપથી રૂપિયાની જાદુટોનાની વિધિ કરીને બાળકની નરબલી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

Advertisment

29 ડિસેમ્બર 2022 ના દિવસે ગુમ થયો હતો બાળક

માનવ બલિદાનની ઘટના સંદર્ભે પોલીસે 16 વર્ષના છોકરાની પણ અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસ પાસેના સયાલી ગામમાં રહેતો નવ વર્ષીય ચૈતા ગણેશભાઈ કોહલા 29 ડિસેમ્બર, 2022ના રોજ તેના ઘરની બહારથી ગુમ થઈ ગયો હતો. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામની કેનાલમાંથી તેની લાશ મળી આવી હતી. વિકૃત મૃતદેહમાંથી માથું અને જમણો પગ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ગુમ થયેલા અંગો 5 જાન્યુઆરીએ સયાલી ગામમાં કબ્રસ્તાન નજીકથી મળી આવ્યા હતા.

પરિવાર અને ગ્રામજનો મેલીવિદ્યામાં હત્યાનો આરોપ

છોકરાના પરિવારજનો અને ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે બાળક મેલીવિદ્યાનો શિકાર બન્યો છે. બાળકની સડી ગયેલી લાશ મળી આવ્યાના એક દિવસ બાદ પોલીસે 16 વર્ષના છોકરાને કસ્ટડીમાં લીધો હતો. તેણે કથિત રીતે બાળકની હત્યામાં તેની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો. તેણે આ ગંભીર મામલામાં તેના બે મિત્રોની સંડોવણી વિશે પણ જણાવ્યું હતું.

માનવ બલિદાનમાં સગીરને મદદ કરવા બદલ બે આરોપીઓની ધરપકડ

આ પગેરું બાદ મંગળવારે પોલીસે સગીરને મદદ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની ઓળખ વાપી તાલુકાના કરાડ ગામના રહેવાસી 28 વર્ષીય શૈલેષ કોહકેરા અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના વતની અને ડીએનએચના અથલ ગામના 53 વર્ષીય રમેશ સાંવર તરીકે થઈ છે.

Advertisment

આ પણ વાંચોઃ-આજનો ઇતિહાસ : 11 જાન્યુઆરી ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ

યુટ્યુબ પર વીડિયો જોયા બાદ પૈસાના લોભ

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કસ્ટડીમાં લેવામાં આવેલ સગીર ચૈતાનું અપહરણ કરી ગયો હતો. તેણે યુટ્યુબ પર વીડિયો જોયા હતા કે કેવી રીતે મોટી રકમ મેળવવા માટે પુરૂષોની બલિદાન આપવામાં આવે છે. શૈલેષ અને રમેશે સગીરને અપહરણ કરાયેલા છોકરાની હત્યા કરવામાં અને વિધિ કરવામાં મદદ કરી હતી. આ અંધશ્રદ્ધાના કારણે ત્રણેયે જઘન્ય ગુના આચર્યા હતા. હવે તેણે પોતાના જીવનનો મોટો ભાગ કાનૂની કાર્યવાહીમાં પસાર કરવો પડશે.

આ પણ વાંચોઃ-Cold wave શીતલહેર શું છે? કેમ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?

સગીર આરોપીને ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલ્યો

દાદરા નગર અને હવેલી (DNH)ના પોલીસ અધિક્ષક (SP) આરપી મીનાએ જણાવ્યું હતું કે આ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા 16 વર્ષના છોકરાને સુરતના ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસે હત્યા માટે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે. તેમની સામે IPC કલમ 302 (હત્યા), 201 (ગુનાના પુરાવાનો નાશ કરવો) અને 120 (B) (ગુનાહિત ષડયંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીનાએ જણાવ્યું કે પોલીસ આ મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ક્રાઇમ ન્યૂઝ ગુજરાત