/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Chanakya-Niti-for-friends.jpg)
ચાણક્ય આ લોકોથી અંતર રાખવાની સલાહ આપે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
આચાર્ય ચાણક્યની ગણના ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. કુશળ રાજકારણી, રાજદ્વારી અને વ્યુહરચનાકાર હોવા ઉપરાંત તેઓ અર્થશાસ્ત્રના નિષ્ણાત પણ હતા. સમસ્યાઓથી બચવા માટે લોકો ઘણીવાર ચાણક્ય નીતિઓ અપનાવે છે. ચાણક્ય નીતિમાં તેમણે વ્યવહારિક જીવનમાં સૌથી મહત્વની વાતો કહી છે. આ બાબતોનું આજે પણ મહત્વ છે. જો આ બાબતોને અપનાવવામાં આવે તો ઘણી સમસ્યાઓ અને સંકટોથી બચી શકાય છે.
આચાર્ય ચાણક્યની નીતિઓ અનુસાર જીવનમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે તમારી સમસ્યાઓ ઉકેલવાના બદલે તેને વધારવાનું કામ કરે છે. ચાણક્ય આ લોકોથી અંતર રાખવાની સલાહ આપે છે. આજે આપણે ચાણક્ય નીતિમાં જણાવેલા લોકો વિશે શીખી રહ્યા છીએ, જેમની પાસેથી દૂર રહેવું આપણા માટે સારું છે. આચાર્ય ચાણક્ય કહે છે કે આ લોકો સાથે ક્યારેય ન રહો કારણ કે તેઓ તમને ગમે ત્યારે છેતરી શકે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે સુખી-સફળ જીવન જીવવા માંગતા હો અને મુશ્કેલીઓથી પોતાને બચાવવા માંગતા હોવ તો કેટલાક લોકોથી દૂર રહેવું વધુ સારું છે. ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં ખરાબ લોકોની કેટલીક આદતોનું વર્ણન કર્યું છે, જે તમારા જીવનને નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકો સાથે સંબંધ રાખવા ખતરનાક થઇ શકે છે. આવો જાણીએ ચાણક્યએ ચાણક્ય નીતિમાં કયા-કયા લોકોને દૂર રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: પહેલી અને છેલ્લી રોટલી કોને ખવરાવવી જોઈએ? રોટલી સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમ જાણવા જરૂરી
'આવા' લોકોથી હંમેશા દૂર રહો
જે લોકો મીઠી મીઠી વાતો કરે છે તેઓ
એવા લોકોથી સાવધાન રહો જે હંમેશા વધારે મીઠુ બોલે છે, કારણ વગર તમારી પ્રશંસા કરે છે. આવા લોકો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે તમારી સાથે સારી રીતે વાત કરીને ગમે ત્યારે તમને છેતરી શકે છે. આ લોકો વિચાર્યા વગર ગમે ત્યારે તમારી સાથે દગો કરી શકે છે. તેથી આવા લોકોથી હંમેશા દૂર રહો.
જે લોકો પોતાની વાત પર અડગ રહેતા નથી
એવા લોકોથી દૂર રહો જે હંમેશા મોટા મોટા વચનો આપે છે પરંતુ કોઈ વચન પૂરા કરતા નથી. આવા લોકો તમારા માટે ક્યારેય કામના નહીં હોય, પરંતુ સંકટના સમયે તમને છોડી દેશે.
વિશ્વાસઘાતી લોકો
આ લોકોને ઓળખવા થોડા મુશ્કેલ છે કારણ કે તેઓ તમારી સામે તમારા શુભેચ્છકોની જેમ વર્તે છે પરંતુ તમને નુકસાન પહોંચાડવામાં વ્યસ્ત રહે છે, તમારી પાછળની તમારી છબીને દૂષિત કરે છે. આવા લોકોને જાણી લો અને તરત જ તેમનાથી દૂર રહો.
(ડિસ્ક્લેમર - આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી પ્રાપ્ત માહિતી પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ પૂરી પાડવામાં આવી રહી છે.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us