/indian-express-gujarati/media/media_files/2025/12/27/new-year-2026-lucky-items-2025-12-27-18-32-57.jpg)
માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નવા વર્ષમાં પ્રથમ દિવસે આ 5 વસ્તુઓ ઘરે લાવો
New Year 2026 Vastu Tips : દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આવનારું નવું વર્ષ તેમના અને તેમના પરિવારના જીવનમાં ખુશી, સુખ-સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઇને આવે. આ માટે વર્ષના પ્રથમ દિવસે તેઓ દેવી-દેવતાઓની પૂજા કરવાથી લઇને ઘણા ઉપાયો અપનાવે છે.
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના પહેલા દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી હકારાત્મક ઉર્જા વધે છે અને ઘરની વાસ્તુ દોષ દૂર થાય છે. આ વસ્તુઓ ઘરમાં રાખવાથી બરકત થવા લાગે છે. જો તમે ઇચ્છો છો કે વર્ષ 2026માં તમારે ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે તો વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ તમારે આ 5 વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ઘરે લાવવી જોઈએ.
નાળિયેર
વાસ્તુ શાસ્ત્રમાં નાળિયેરને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી નવા વર્ષના પ્રથમ દિવસે એક નાળિયેર ખરીદો અને તેને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી પાસે રાખો અને યોગ્ય પૂજા કર્યા પછી તેને તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે અને ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહે છે, બિનજરૂરી ખર્ચ ઓછો થાય છે.
નવા વર્ષમાં ધાતુના કાચબાને લાવો
વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને સારા નસીબ અને દીર્ધાયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવા વર્ષના દિવસે, પિત્તળ, ચાંદી અથવા તાંબાના નાના કાચબાને ઘરે લાવો અને તેને ઉત્તર દિશા તરફ રાખો. આમ કરવાથી નોકરી-બિઝનેસમાં અપાર સફળતા સાથે પરિવારના સભ્યોની પ્રગતિનો માર્ગ ખુલે છે.
તુલસીનો છોડ
જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા તે સુકાઈ ગયો છે, તો નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીનો છોડ લાવો. તેને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ દૂર થશે અને માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થઇ શકે છે. ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે.
આ પણ વાંચો - પોષ પુત્રદા એકાદશી 30 કે 31 ડિસેમ્બરે ક્યારે છે? જાણો તારીખ,પારણા સમય અને મહત્વ
મોર પંખ
નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં મોર પંખ લાવવું પણ ફાયદાકારક થઇ શકે છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય મોરના પીંછાને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
લાફિંગ બુદ્ધા
વાસ્તુના જણાવ્યા અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધાને રાખવો એ ખુશહાલીની નિશાની છે. તેને ઘર અથવા ઓફિસમાં ઉત્તર-પૂર્વ (ઇશાન ખૂણા) અથવા મુખ્ય દરવાજાની સામે મૂકી શકાય છે. આ બાબતો ઘરમાં સકારાત્મકતા લાવે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ્યારે તમે આમાંની કોઈ પણ વસ્તુ ઘરે લાવો છો ત્યારે તેને રાહુ કાળ દરમિયાન ખરીદશો નહીં. વર્ષના પહેલા દિવસે શુભ મુહૂર્ત જોઈને જ ખરીદી કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
1 જાન્યુઆરી 2026 રાહુકાળનો સમય - બપોરે 1.49થી બપોરે 3.09 વાગ્યા સુધી
ડિસ્ક્લેમર- આ લેખ વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તમે તે સાચું અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us