Jaya Ekadashi 2026 : જયા એકાદશી ક્યારે છે? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Jaya Ekadashi 2026 date : સનાતન ધર્મમાં એકાદશીના ઉપવાસનું વિશેષ મહત્વ છે. મહા સુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે . તેને ભૌમી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી સાંસરિક પાપો અને પ્રેત યોનિઓથી મુક્તિ મળે છે

Jaya Ekadashi 2026 date : સનાતન ધર્મમાં એકાદશીના ઉપવાસનું વિશેષ મહત્વ છે. મહા સુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે . તેને ભૌમી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી સાંસરિક પાપો અને પ્રેત યોનિઓથી મુક્તિ મળે છે

author-image
Ashish Goyal
New Update
Jaya Ekadashi 2026 date

Jaya Ekadashi 2026 date : સનાતન ધર્મમાં એકાદશીના ઉપવાસનું વિશેષ મહત્વ છે

Jaya Ekadashi 2026 date : સનાતન ધર્મમાં એકાદશીના ઉપવાસનું વિશેષ મહત્વ છે. એકાદશીના ઉપવાસ દર મહિનાના સુદ અને વદ પક્ષની અગિયારસે કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અહીં આપણે જયા એકાદશીની વાત કરવા જઈ રહ્યા છીએ. મહા સુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી 29 જાન્યુઆરીએ આવી રહી છે. 

Advertisment

આ એકાદશી તિથિને જયા એકાદશી, ભૌમી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી સાંસરિક પાપો અને પ્રેત યોનિઓથી મુક્તિ મળે છે. સાથે સાથે મોક્ષ પણ મળે છે. આવી સ્થિતિમાં ચાલો જયા એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત વિશે જાણીએ.

જયા એકાદશી 2026 તારીખ 

વૈદિક કેલેન્ડર અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખ 28 જાન્યુઆરીએ સાંજે 04:34 વાગ્યે શરૂ થશે અને 29 જાન્યુઆરીએ બપોરે 01:56 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 29 જાન્યુઆરીએ જયા એકાદશીની ઉજવણી કરવામાં આવશે.

જયા એકાદશી શુભ મુહૂર્ત

જય એકાદશીના દિવસે ઇન્દ્ર, રવિ યોગ, ભદ્રાવાસ યોગ અને શિવવાસ યોગના દુર્લભ સંયોગ બની રહ્યા છે. આ યોગમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે.

Advertisment

આ પણ વાંચો - વસંત પંચમી ક્યારે છે 23 કે 24 જાન્યુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મંત્ર

જયા એકાદશી 2026 મહત્વ

જય એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. આ ઉપવાસ રાખવાથી વ્યક્તિ સૌથી જઘન્ય પાપો, ત્યાં સુધી કે બ્રહ્મ હત્યાથી પણ મુક્તિ મેળવી શકે છે. આ વ્રત કરવાથી મોક્ષ થાય છે. સાથે જ પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ