Mahashivratri 2026 : મહાશિવરાત્રી ક્યારે છે 15 કે 16 ફેબ્રુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ

Mahashivratri 2026 Date: વૈદિક પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા વદ ચૌદસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને મહાદેવની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે

Mahashivratri 2026 Date: વૈદિક પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા વદ ચૌદસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને મહાદેવની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે

author-image
Ashish Goyal
New Update
Mahashivratri 2026 Date

Mahashivratri 2026 Date: વૈદિક પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા વદ ચૌદસે ઉજવવામાં આવે છે

Mahashivratri 2026 Date:  વૈદિક પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા વદ ચૌદસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાદેવ શિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. આ શુભ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને મહાદેવની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ વર્ષે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે. આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત.

Advertisment

મહાશિવરાત્રી 2026 તારીખ 2026 

મહા વદ ચૌદસની તિથિ 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ સાંજે 5:04 વાગ્યે શરૂ થશે. બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીને સોમવારે સાંજે 5.34 વાગ્યે ચતુર્દશી તિથિ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.

મહા શિવરાત્રી 2026 પર ચાર પહરનું પૂજન મુહૂર્ત

નીશિથ કાલ પૂજાનો સમય: 16 ફેબ્રુઆરીએ રાત્રે 12:09 થી 1:01 સુધી

  • પ્રથમ પ્રહર પૂજાનો સમય:  15 ફેબ્રુઆરીએ સાંજે 6.11 વાગ્યાથી 9.22 વાગ્યા સુધી રહેશે.
  • બીજી પ્રહર પૂજાનો સમય :  15 ફેબ્રુઆરીએ રાત્રે 9.23 થી 16 ફેબ્રુઆરીએ રાત્રે  12.34 વાગ્યા સુધી રહેશે.
  • ત્રીજી પ્રહર પૂજાનો સમય : 16 ફેબ્રુઆરીએ રાત્રે 12.35 થી સવારે 3.46 વાગ્યા સુધી રહેશે.
  • ચોથી પ્રહર પૂજાનો સમય : 16  ફેબ્રુઆરીએ સવારે 3.46 થી સવારે 6.59 સુધી રહેશે.

આ પણ વાંચો - હોળાષ્ટક ક્યારથી શરુ થશે? 8 દિવસ બંધ રહેશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને અન્ય માહિતી

Advertisment

મહાશિવરાત્રીનું ધાર્મિક મહત્વ

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. તેથી આ દિવસે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિ તમામ સુખ મેળવી શકે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. તેઓ એક વિશાળ અગ્નિ સ્તંભ (જ્યોતિર્લિંગ) ના રૂપમાં આવ્યા હતા, જેનો કોઈ આદિ અને અંત ન હતો. આ સિવાય મહાશિવરાત્રીની રાત કુંડલિની જાગરણ અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે સાધકોને પરમ જ્ઞાન તરફ લઇ જાય છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

મહાશિવરાત્રી તહેવાર ધર્મ ભક્તિ