મકરસંક્રાંતિ અને એકાદશી એક જ દિવસે, ખીચડીના દાનને લઇને અસમંજસ, જાણો શું દાન કરવું શુભ રહેશે

Makar Sankranti 2026 Khichdi Ka Daan : આ વર્ષે મકરસંક્રાંતિ પર ખૂબ જ દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. આ વર્ષે મકરસંક્રાંતિની સાથે 14 જાન્યુઆરીએ ષટતિલા એકાદશી પણ આવી રહી છે. જેના કારણે ખીચડી દાન કરવા અંગે મૂંઝવણ છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાની મનાઈ છે

Makar Sankranti 2026 Khichdi Ka Daan : આ વર્ષે મકરસંક્રાંતિ પર ખૂબ જ દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. આ વર્ષે મકરસંક્રાંતિની સાથે 14 જાન્યુઆરીએ ષટતિલા એકાદશી પણ આવી રહી છે. જેના કારણે ખીચડી દાન કરવા અંગે મૂંઝવણ છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાની મનાઈ છે

author-image
Ashish Goyal
New Update
Makar Sankranti 2026 Khichdi Ka Daan

આ વર્ષે મકરસંક્રાંતિની સાથે 14 જાન્યુઆરીએ ષટતિલા એકાદશી પણ આવી રહી છે

Makar Sankranti 2026 Khichdi Ka Daan : આ વર્ષે મકરસંક્રાંતિ પર ખૂબ જ દુર્લભ સંયોગ થઈ રહ્યો છે. આ વર્ષે મકરસંક્રાંતિની સાથે 14 જાન્યુઆરીએ ષટતિલા એકાદશી પણ આવી રહી છે. આવી સ્થિતિમાં સ્નાન અને દાન સાથે સૂર્ય ભગવાન અને વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળી શકે છે. એક તરફ સ્નાન કરવાથી, પૂજા કરવાથી શુભ ફળ મળી શકે છે. 

Advertisment

બીજી તરફ આ દિવસે ખીચડી દાન કરવા અંગે મૂંઝવણ છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાની મનાઈ છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં ભ્રમની સ્થિતિ છે કે મકરસંક્રાંતિના દિવસે ચોખા અને દાળની ખીચડીનું દાન કરવું યોગ્ય રહેશે કે નહીં. ટેરો ગુરુ પૂજા વર્મા પાસેથી જાણીએ કે આ વર્ષે મકરસંક્રાંતિ પર ખીચડી દાન કરવી કે નહીં.

એકાદશી અને સંક્રાંતિ એક જ દિવસે હોવાથી ખીચડીનુ દાન કરી શકો છો?

પંચાંગ અનુસાર ષટતિલા એકાદશી અને મકરસંક્રાંતિ એક દિવસ આવી રહી છે. આવી સ્થિતિમાં તમે આ નિયમોનું પાલન કરી શકો છો. આપણે ત્યાં શાસ્ત્રોમાં નિમિત્તદાનનો ઉલ્લેખ છે. મકરસંક્રાંતિના દિવસે ચોખા, દાળ વગેરેનું દાન કરવું એ ખૂબ જ પુણ્ય માનવામાં આવે છે. 

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે ષટતિલા એકાદશી આવે છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન પ્રતિબંધિત છે, પરંતુ દાન પર કોઈ પ્રતિબંધ નથી. આવી સ્થિતિમાં જો તમે સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરો છો, તો તે અન્નદાનની શ્રેણીમાં આવે છે, જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

Advertisment

મકરસંક્રાંતિ પર ખીચડી ખાવી જોઈએ કે નહીં?

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર જે લોકો એકાદશીના વ્રત કરી રહ્યા છે અથવા તેમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તો તેઓએ મકરસંક્રાંતિ પર ખીચડીનું સેવન ન કરવું જોઈએ. તમે દાનમાં ખીચડી આપી શકો છો પરંતુ ભોજનમાં ફળાહાર અથવા એકાદશીના નિયમોનું પાલન કરો.

આ પણ વાંચો - મકરસંક્રાંતિ પર આ 3 દેવતાઓને ખીચડીનો ભોગ લગાવો, તમારું નસીબ ચમકી જશે

જો તમને હજી પણ શંકા હોય તો આ વખતે 'સૂકી ખીચડી' (કાચા ચોખા, દાળ, મીઠું અને ઘીનું પેકેટ) દાન કરો. ષટતિલા એકાદશી પણ હોવાથી તલનું દાન કરવાથી અક્ષય પૃણ્ય અપાવશે.

મકરસંક્રાંતિ પર તમે શું દાન કરી શકો છો?

જો તમે મકરસંક્રાંતિ પર ખીચડી દાન કરવા માંગતા નથી, તો આ દિવસે તમે તલ, ગોળ, અનાજ, ગરમ કપડાં, ધાબળા, પોપકોર્ન વગેરેનું દાન કરી શકો છો.

શું હું 15 જાન્યુઆરીએ ખીચડી ખાઈ શકું?

ટેરો ગુરુ પૂજા વર્માના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરીએ સવારે તમે દાન સાથે ખીચડી ખાઈ શકો છો. તેનાથી શુભ ફળોની પ્રાપ્તિ થઇ શકે છે.

ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને સામાન્ય ધારણાઓ પર આધારિત છે. વ્યક્તિગત જન્માક્ષર અનુસાર પરિણામો બદલાઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવાનું ભૂલશો નહીં.

તહેવાર ઉત્તરાયણ મકર સંક્રાંતિ ધર્મ ભક્તિ