આ લોકોએ અંતિમ સંસ્કારથી દૂર રહેવું, ભૂલથી પણ સ્મશાનમાં ના જવું જોઈએ, જાણો કારણ

હિન્દુ માન્યતાઓ અનુસાર અમુક લોકોને સ્મશાનમાં જવાની મનાઈ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આવા વ્યક્તિઓએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવી જોઈએ નહીં, કારણ કે તે તેમના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ માટે અશુભ માનવામાં આવે છે.

Written by Rakesh Parmar
November 28, 2025 18:31 IST
આ લોકોએ અંતિમ સંસ્કારથી દૂર રહેવું, ભૂલથી પણ સ્મશાનમાં ના જવું જોઈએ, જાણો કારણ
હિન્દુ માન્યતાઓ અનુસાર અમુક લોકોને સ્મશાનમાં જવાની મનાઈ છે.

who should not attend funerals: હિન્દુ ધર્મમાં કુલ 16 ધાર્મિક વિધિઓનો ઉલ્લેખ છે, જેમાંથી એક અંતિમ સંસ્કાર છે, જે વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં મૃતકના શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે, અને વિવિધ ધાર્મિક પરંપરાઓ અને નિયમોનું પાલન કરવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર અમુક લોકોને સ્મશાનમાં જવાની મનાઈ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આવા વ્યક્તિઓએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવી જોઈએ નહીં, કારણ કે તે તેમના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ માટે અશુભ માનવામાં આવે છે. તો ચાલો જોઈએ કે અંતિમ સંસ્કારમાં કોણે હાજરી ન આપવી જોઈએ અને તેની પાછળના ધાર્મિક કારણો શું છે.

નાના બાળકો

નાના બાળકોને અંતિમ સંસ્કાર અથવા સ્મશાનમાં જવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે બાળકોને આ પ્રક્રિયાથી દૂર રાખવા જોઈએ, કારણ કે તેઓ અત્યંત માનસિક રીતે સંવેદનશીલ હોય છે. અંતિમ સંસ્કારનું વાતાવરણ, ભીડ અને અગ્નિસંસ્કારની પ્રક્રિયા તેમના મન પર ઊંડી અસર કરી શકે છે, જેનાથી ભય, અસુરક્ષા અથવા માનસિક તણાવની શક્યતા વધી શકે છે. તેથી શાસ્ત્રો અનુસાર, નાના બાળકોને અંતિમ સંસ્કારમાં સામેલ ના થવું જોઈએ.

તાજેતરમાં પરિવારમાં કોઈનું મૃત્યું થયું હોય તેવા વ્યક્તિ

જો પરિવારમાં તાજેતરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તે મરણોશૌચ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હોય, તો તેમણે બીજા વ્યક્તિના અંતિમ સંસ્કારમાં હાજરી આપવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં જણાવાયું છે કે મરણોશૌચની સ્થિતિમાં રહેલી વ્યક્તિને ધાર્મિક રીતે અશુદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને આત્માઓની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેથી આ સમયગાળા દરમિયાન સ્મશાનમાં જવાથી બચવું જોઈએ.

આ પણ વાંચો: શું તમે જાણો છો અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં કેટલા કરોડ રૂપિયાના સોનાનો ઉપયોગ થયો છે?

બીમાર વ્યક્તિ

બીમાર અથવા શારીરિક રીતે નબળી વ્યક્તિએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સ્મશાનનું વાતાવરણ, ધુમાડો અને ભીડ તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ હોય તો અંતિમ સંસ્કારમાં હાજરી આપવી હાનિકારક હોઈ શકે છે.

ગર્ભવતી સ્ત્રી

સગર્ભા સ્ત્રીઓને સ્મશાનભૂમિ અથવા અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આવા સ્થળોએ હાજર નકારાત્મક ઉર્જા અને વાતાવરણ વિકાસશીલ બાળકને અસર કરી શકે છે. આ કારણોસર ગર્ભવતી સ્ત્રીઓને અંતિમ સંસ્કારથી દૂર રહેવાની સલાહ આપે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી નથી. આ માહિતી જ્યોતિષીઓ, કેલેન્ડર, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે. અમારો ધ્યેય ફક્ત માહિતી પૂરી પાડવાનો છે. અમે તેની ચોકસાઈ કે સત્યતાની ખાતરી આપી શકતા નથી. કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ