વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સર્વપિત્રુ અમાવસ્યાના દિવસે થશે, ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, પિતૃઓ થઈ શકે છે ગુસ્સે

sarva pitru amavasya 2023 solar eclipse - સર્વ પિતૃ અમાવસ્યા 2023 સૂર્ય ગ્રહણ 2023 : સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ લોખંડ અને સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ શકે છે.

sarva pitru amavasya 2023 solar eclipse - સર્વ પિતૃ અમાવસ્યા 2023 સૂર્ય ગ્રહણ 2023 : સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ લોખંડ અને સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Sarva Pitru Amavasya 2023, Surya Grahan 2023

સર્વપિત્રુ અમાવસ્યા અને સૂર્ય ગ્રહણ 2023 (ફોટો - પ્રતિકાત્મક)

Sarva Pitru Amavasya 2023 Solar Eclipse : વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે પિતૃ અમાવસ્યા 14 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. જે એક દુર્લભ સંયોગ છે. પિતૃ અમાવસ્યાના દિવસે, શ્રાદ્ધ ખાસ કરીને એવા લોકો માટે કરવામાં આવે છે, જેમની મૃત્યુ તારીખ જાણીતી નથી. આ ઉપરાંત, જો કોઈ કારણસર તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકતા નથી, તો તમે આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરી શકો છો. તો, જ્યોતિષમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. અન્યથા પૂર્વજો ગુસ્સે થઈ શકે છે. ચાલો જાણીએ કે, એવી કઈ વસ્તુઓ છે, જે સર્વપિત્રુ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.

Advertisment

આ લોકો શ્રાદ્ધ અને તર્પણ કરે છે

શાસ્ત્રોમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાનો અધિકાર નાના કે મોટા પુત્રને આપવામાં આવ્યો છે. જ્યારે પુત્ર ન હોય તો પત્ની શ્રાદ્ધ કરી શકે છે. જ્યારે પત્ની ન હોય તો પુત્ર શ્રાદ્ધ કરી શકે છે. જો એક કરતાં વધુ પુત્ર હોય તો માત્ર મોટા પુત્રએ જ શ્રાદ્ધ કરવું જોઈએ. તેથી આ નિયમ પ્રમાણે જ શ્રાદ્ધ કરવું જોઈએ. કારણ કે આ નિયમ પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ગુસ્સે થતા નથી.

આ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં

શાસ્ત્રોમાં શ્રાદ્ધના દિવસે ભોજનમાં કેટલીક વસ્તુઓ રાંધવાની મનાઈ છે. કારણ કે, આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ શકે છે. મતલબ શ્રાદ્ધમાં ચણા, મસૂર, જીરું, કાળું મીઠું, વાસી અને અશુદ્ધ ફળોનો ઉપયોગ શ્રાદ્ધમાં ન કરવો જોઈએ. સાથે ડુંગળી અને લસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.

ઘરમાં કલેશ-કંકાસ ન કરવો

સર્વપિત્રુ અમાવસ્યા પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે. તેથી, આ દિવસે ભૂલથી પણ કલેશ-કંકાશ ન કરવો જોઈએ. કારણ કે આમ કરવાથી પિતૃઓ દુઃખી થઈ જાય છે અને તેઓ ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. તેથી, તેમના આદરમાં પરસ્પર પ્રેમ જાળવી રાખો.

Advertisment

આ સમયે શ્રાદ્ધ ન કરવું

પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાનો સાચો સમય બપોરે 12 વાગ્યા પછી કહેવાય છે, તેથી સર્વપિત્રુ અમાવસ્યાના દિવસે પણ સવારે કે રાત્રે શ્રાદ્ધ કે તર્પણ ન કરવું જોઈએ. જો તમે આવું કરશો, તો તમને શ્રાદ્ધ અને તર્પણનું ફળ નહીં મળે.

આવા વાસણોનો ઉપયોગ કરશો નહીં

આ દિવસે કોઈ પણ વડીલનું અપમાન ન કરવું જોઈએ. આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ શકે છે. તેમજ સર્વપિત્રુ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે કે, તાંબા કે પિત્તળના વાસણમાં તર્પણ કરવા જવું.

Disclaimer – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો – વાર્ષિક રાશિફળ 2023

મેષ રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023
મિથુન રાશિ વાર્ષિક રાશિફળ – 2023કર્ક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
સિંહ રાશિ વાર્ષિક રાશિફળ – 2023કન્યા રાશિ વાર્ષિક રાશિફળ – 2023
તુલા રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
ધન રાશિ વાર્ષિક રાશિફળ – 2023મકર રાશિ વાર્ષિક રાશિફળ – 2023
કુભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023મીન રાશિ વાર્ષિક રાશિફળ – 2023
શ્રાદ્ધ ગુજરાતી ન્યૂઝ astrology ધર્મ ભક્તિ