Surya Upay: કુંડળીમાં પાવરફૂલ સૂર્યદેવ વ્યક્તિને કરી દે છે માલામાલ, કિસ્મતને ચમકાવવા માટે કરો આ ઉપાય

Surya Upay: સૂર્ય દેવની તમારી પર કૃપા રહે તો તમને માલામાલ કરી દે છે, કારણ કે સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે. તો જોઈએ સૂર્ય દેવને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ.

Surya Upay: સૂર્ય દેવની તમારી પર કૃપા રહે તો તમને માલામાલ કરી દે છે, કારણ કે સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે. તો જોઈએ સૂર્ય દેવને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

સૂર્ય ઉપાય

Surya Remedy: જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. એટલે કે કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોય તો વ્યક્તિને સરકારી નોકરી મળે છે. તેમજ પિતા અને અધિકારીઓ સાથે સંબંધો સારા રહે. બીજી તરફ જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ અશુભ હોય તો વ્યક્તિના પિતા અને અધિકારીઓ સાથેના સંબંધો ખરાબ રહે છે. બોસ સાથે પણ બનતું નથી. ઉપરાંત, આવા વ્યક્તિને હૃદય અને આંખો સંબંધિત રોગો થઈ શકે છે. એટલા માટે કુંડળીમાં શુભ સૂર્ય દેવનું હોવું ખૂબ જ જરૂરી છે. સાથે જ જ્યોતિષમાં સૂર્યને સકારાત્મક બનાવવા માટે કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને કરવાથી વ્યક્તિનું નસીબ ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે…

Advertisment

પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો

જો તમે સૂર્યદેવની કૃપા ઈચ્છતા હોવ તો રવિવારે સૂર્યાસ્ત થયા બાદ પીપળાના ઝાડ નીચે ચારમુખી દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો

રવિવારે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. તેની સાથે જ 'ઓમ સૂર્યાય નમઃ', 'ઓમ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ', 'ઓમ ઘૃણિ: સૂર્યાદિત્યોમ' અને 'ઓમ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય: નમઃ' જેવા મંત્રો સાથે સૂર્ય ભગવાનની પૂજા કરી શકાય છે. આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. સાથે જ જે કામો નથી થતા તે પણ થઈ જાય છે.

આ વસ્તુઓનું દાન કરો

રવિવારે તાંબુ અને ઘઉં કોઈપણ જરૂરિયાતમંદ અથવા ગરીબને દાનમાં આપવું જોઈએ. આમ કરવાથી તમે સૂર્ય દોષથી છુટકારો મેળવી શકો છો. તેની સાથે આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળી શકે છે.

Advertisment

સૂર્યદેવને જળ ચઢાવો

સૂર્યદેવને રોજ જળ ચઢાવવું જોઈએ. તાંબાના વાસણમાં હળદર પીસી નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો
મેષ રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023
મિથુન રાશિ વાર્ષિક રાશિફળ – 2023કર્ક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
સિંહ રાશિ વાર્ષિક રાશિફળ – 2023કન્યા રાશિ વાર્ષિક રાશિફળ – 2023
તુલા રાશિ વાર્ષિક રાશિફળ – 2023વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ – 2023
ધન રાશિ વાર્ષિક રાશિફળ – 2023મકર રાશિ વાર્ષિક રાશિફળ – 2023
કુભ રાશિ વાર્ષિક રાશિફળ – 2023મીન રાશિ વાર્ષિક રાશિફળ – 2023

રવિવારે આ વસ્તુઓ ખાવાનું ટાળો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે તેલ અને મીઠું ક્યારેય ન ખાવું જોઈએ. કારણ કે મીઠું ખાવાથી સૂર્ય ભગવાન કોપાયમાન થાય છે. ત્યાં જ પિતાનું સન્માન કરવું જોઈએ.

રાશિ પરિવર્તન ધર્મ ભક્તિ