Abhijeet Bhattacharya On Mahatma Gandhi: બોલિવૂડ સિંગર અભિજિત ભટ્ટાચાર્ય પોતાના વિવાદોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પછી ભલે તે શાહરૂખ ખાનની વાત હોય કે સલમાન ખાનની, પરંતુ હાલમાં સિંગર તેના એક ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે. ખરેખરમાં અભિજિત તાજેતરમાં જ શુભંકર મિશ્રાના પોડકાસ્ટનો ભાગ બન્યો હતા. જ્યાં તેમણે તેમની પ્રોફેશનલ લાઈફ વિશે ઘણી વાતો શેર કરી હતી.
તેમણે પોડકાસ્ટમાં સ્ટાર્સ વિશે પણ વાત કરી અને મહાત્મા ગાંધી વિશે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું, જે હવે હેડલાઇન્સમાં આવી ગયું છે. અભિજિત ભટ્ટાચાર્યએ કહ્યું છે કે મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા.
મહાત્મા ગાંધીને લઈને આપવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન
પોડકાસ્ટમાં સિંગરે કહ્યું કે સંગીતકાર આરડી બર્મન મહાત્મા ગાંધી કરતાં મહાન હતા, જેમ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા, તેવી જ રીતે આરડી બર્મન પણ સંગીતની દુનિયામાં રાષ્ટ્રપિતા હતા. એટલું જ નહીં અભિજિતે મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહ્યા હતા. અભિજિતે કહ્યું કે મહાત્મા ગાંધી ભારત માટે નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. ભારત પહેલાથી જ ભારત હતું, પાકિસ્તાનને બનાવવામાં આવ્યું હતું. તેમને અહીં ભૂલથી રાષ્ટ્રપિતા કહેવામાં આવ્યા હતા. બાપ તે હતા, દાદા એ હતા નાના એ હતા… બધું તેઓ જ હતા.
આ પણ વાંચો: PM મોદીને કુવૈતમાં સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત
તમને જણાવી દઈએ કે અભિજિત ભટ્ટાચાર્યને સંગીતકાર આરડી બર્મને લોન્ચ કર્યો હતો. તેમણે પોતાનું પહેલું ગીત આશા ભોંસલે સાથે બંગાળી ફિલ્મ માટે ગાયું હતું. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં અભિજીત આરડી બર્મન સાથે સ્ટેજ શો કરતા હતા.
ત્યાં જ તેમણે આ પોડકાસ્ટમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વિશે પણ વાત કરી હતી. કિંગ ખાન વિશે તેમણે કહ્યું હતું કે તે ખૂબ નાનો હતો ત્યારે મેં તેના માટે ગીતો ગાયા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગાયક છેલ્લા 17 વર્ષોમાં ક્યારેય કોઈ અભિનેતાને મળ્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તે પહેલા તેમને મળ્યા પણ નથી. તેમની વાતચીત દરમિયાન અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે શાહરૂખનો કો-સ્ટાર તેને ‘હકલા’ કહીને બોલાવતો હતો.





