/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/khesari-lal-yadav.jpg)
ખેસારી અને તેમનો પરિવાર હાલમાં બિહાર ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત છે. (Image: @officialkhesarilalyadav/Facebook)
ભોજપુરી સ્ટાર અને આરજેડી ઉમેદવાર ખેસારી લાલ યાદવ કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેવું લાગે છે. બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના મુંબઈ સ્થિત બંગલામાં ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ કરીને તેમને નોટિસ ફટકારી હતી. થાણેમાં મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશને ખેસારી લાલ યાદવને મીરા રોડ પરના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ ફટકારી છે.
આ સમાચાર અંગે ખેસારી લાલ કે તેમની ટીમ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી, પરંતુ તેમની મુશ્કેલીઓ વધતી જતી દેખાય રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને ખેસારી લાલ યાદવને નોટિસ ફટકારી છે, જેમાં તેમને તેમના ઘરની બહાર લગાવેલા લોખંડના એંગલ અને શેડ તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો અતિક્રમણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં અતિક્રમણની તપાસ દરમિયાન વિભાગને ખેસારી લાલ યાદવનો બંગલો નજરે પડ્યો. જોકે ખેસારી અને તેમનો પરિવાર હાલમાં બિહાર ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત છે અને તેમના મુંબઈના ઘરે કોઈ નથી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનો દાવો- હરિયાણા ચૂંટણીમાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું, પરંતુ તે કોણ છે?
આ નોટિસ 3 નવેમ્બરના રોજ ખેસારી લાલ યાદવને જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મીરા રોડ પર જુન્યા પેટ્રોલ પંપ પાસે સ્થિત શત્રુઘ્ન કુમાર યાદવ, જેને ખેસારી લાલ યાદવના બંગલા તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં બાંધકામના ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Khesari-lal-BMC-Notice.jpg)
નોંધનીય છે કે જ્યારે ખેસારી છપરા બેઠક પરથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પવન સિંહ પણ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખેસારીએ પવન સિંહના લગ્ન જીવન પર સવાલ ઉઠાવ્યા હતા, જેનાથી પવન સિંહ ગુસ્સે થયા હતા અને તેમણે તેમના પર કટાક્ષભરી ટિપ્પણી કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us