/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/vikrant-massey-Ahmedabad-Plane-Crash.jpg)
વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. (તસવીર: Instagram)
Ahmedabad Plane Crash: બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. આ અકસ્માત બાદ વિક્રાંત મેસીનું હૃદય તૂટી ગયું હતું. તેણે સોશિયલ મીડિયા પર તેના પિતરાઈ ભાઈના નિધનનું દુઃખ જાહેર કર્યું છે. બોલિવૂડના ઘણા પ્રખ્યાત લોકોએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ પણ આ દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે, પરંતુ આ દુ:ખ તેના માટે વધુ વ્યક્તિગત બની ગયું જ્યારે તેણે કહ્યું કે તેના નજીકના વ્યક્તિનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું. તમને જણાવી દઈએ કે ફ્લાઇટમાં બે પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલ અને ક્લાઇવ કુંદર હતા. કેપ્ટન સુમિત સભરવાલ વિમાનના કમાન્ડમાં હતા, તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર હતા. તેમને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/vikrany-massey-brother-plan-crash.jpg)
વિક્રાંત મેસી શોકમાં
વિક્રાંતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શોક વ્યક્ત કર્યો અને લખ્યું- આજે અમદાવાદમાં થયેલા આ ખૂબ જ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું હૃદય તૂટી ગયું છે.
"આનાથી પણ વધુ દુઃખદ વાત એ છે કે મારા કાકા ક્લિફોર્ડ કુંડરે તેમના પુત્ર ક્લાઈવ કુંડરને ગુમાવ્યો, જે તે દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટમાં પ્રથમ અધિકારી તરીકે ફરજ પર હતા. ભગવાન તમને અને તમારા પરિવારને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે અને આ અકસ્માતથી ખૂબ જ પ્રભાવિત થયેલા તમામ લોકોને શક્તિ આપે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us