બોની કપૂરની સ્મોકિંગની આદતથી કંટાળી ગઈ હતી શ્રીદેવી, છોડી દેવા મૂકી દીધી હતી આવી શરત

જાહ્નવી કપૂરે (janhvi kapoor) તેના પપ્પા બોની કપૂર (Boney Kapoor) ની સિગારેટ આદત (smoking habit) વિશે વાત કરી, જેમાં તેણે સિગારેટની આદત છોડાવવા તેની મમ્મી શ્રીદેવી (Sridevi) એ શું કર્યું હતું.

જાહ્નવી કપૂરે (janhvi kapoor) તેના પપ્પા બોની કપૂર (Boney Kapoor) ની સિગારેટ આદત (smoking habit) વિશે વાત કરી, જેમાં તેણે સિગારેટની આદત છોડાવવા તેની મમ્મી શ્રીદેવી (Sridevi) એ શું કર્યું હતું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Janhvi Kapoor

બોની કપૂર અને શ્રીદેવી

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ 'મિલી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર બતાવે છે કે, આ એક પિતા અને પુત્રી વચ્ચેના મજબૂત સંબંધની વાર્તા છે. જ્હાન્વી કપૂર રિયલ લાઈફમાં પણ તેના પિતા પ્રોડ્યુસર બોની કપૂરની ખૂબ નજીક છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, જાહ્નવીએ તેના પિતાની સિગારેટની આદત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કેવી રીતે તે અને તેની બહેન ખુશી બોની કપૂરની સિગારેટનો નાશ કરતા હતા.

Advertisment

પિંકવિલા સાથેની વાતચીતમાં જ્હાન્વીએ જણાવ્યું કે, બોની કપૂર ખૂબ સિગારેટ પીતા હતા. તેમની માતા સ્વર્ગસ્થ શ્રીદેવી આ આદતથી ખૂબ નારાજ રહેતી હતી.

જ્હાન્વીએ કહ્યું, “પાપા ખૂબ સિગારેટ પીતા હતા. મને લાગે છે કે તે 'નો એન્ટ્રી' અને 'વોન્ટેડ'નો સમયની વાત છે. રોજ સવારે ખુશી અને હું તેમની સિગારેટના પેકેટને નષ્ટ કરવાનો કોઈક રસ્તો શોધી લેતા. આપણે કાં તો સિગારેટ કાપી નાખતા અથવા સિગારેટમાં ટૂથપેસ્ટ નાખી દેતા. દરરોજ અમે કંઈક ને કંઈક કરતા. પણ કંઈ કામ ન આવ્યું. મમ્મી પણ તેમની સાથે આ બાબતે લડતી રહેતી હતી."

શ્રીદેવીએ પોતાના પતિની સિગારેટથી છુટકારો મેળવવા માટે નોન વેજ છોડી દીધું હતું

Advertisment

જ્હાન્વીએ જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે શ્રીદેવીએ નોન વેજ ખાવાનું છોડી દીધું હતું, જ્યારે ડોક્ટરે તેમને તેમ કરવાનું કહ્યું ન હતું. કારણ કે તે બોની કપૂરની સિગારેટમાંથી છૂટકારો મેળવવા માંગતી હતી, તેથી તે શાકાહારી બની ગઈ. તેણે કહ્યું કે જ્યાં સુધી તમે ધૂમ્રપાન છોડશો નહીં ત્યાં સુધી હું નોન-વેજ નહીં ખાઉં. જ્યારે ડોક્ટરે તેમને કહ્યું કે, તમે ખૂબ જ નબળા છો અને તમારે વધુ નોન-વેજ ખાવું જોઈએ અને તેમણે ના પાડી દીધી. જ્હાન્વીએ કહ્યું કે, પિતા તેના માટે પ્રાર્થના કરતા હતા.

આ પણ વાંચો - ફિલ્મ ‘મિલી’નું પોસ્ટર રિલીઝ, પ્રથમવાર બોની કપૂર અને જાહ્નવી કપૂરે સાથે કામ કર્યું

જ્હાન્વીએ કહ્યું કે, બોની કપૂરે લગભગ 4-5 વર્ષ પહેલા આખરે સિગારેટ છોડી દીધી. અભિનેત્રીએ કહ્યું, "આખરે 4-5 વર્ષ પહેલા તેમણે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે હું સિગારેટ છોડી દઉં, ત્યારે હું ન કરી શક્યો, પરંતુ હવે કરીશ." તમને જણાવી દઈએ કે શ્રીદેવીનું નિધન વર્ષ 2018, ફેબ્રુઆરીમાં થયું હતું.

celebrities મનોરંજન ન્યૂઝ