હમ પૂજા રામ કી કરતે હૈ, તુવેર પરશુરામ કે રખતે હૈ! મેજર હોશિયાર સિંહ કોણ હતા? વરુણ ધવન બોર્ડર 2 માં ભૂમિકા ભજવી

Border 2 Release Date : બોર્ડર 2 મૂવી પ્રજાસત્તાક દિવસની પહેલા 23 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ દેશભક્તિની મૂવીમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ જેવા ઘણા કલાકાર છે.

Border 2 Release Date : બોર્ડર 2 મૂવી પ્રજાસત્તાક દિવસની પહેલા 23 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ દેશભક્તિની મૂવીમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ જેવા ઘણા કલાકાર છે.

author-image
Ajay Saroya
New Update
Varun Dhawan major hoshiar singh

Varun Dhawan In Border 2 : બોર્ડર 2 મૂવીમાં વરુણ ધવને મેજર હોંશિયાર સિંહની ભૂમિકા ભજવી છે. Photograph: (Jansatta)

Border 2 Release Date : બોર્ડર 2 મૂવી પ્રજાસત્તાક દિવસની પહેલા 23 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. દેશભક્તિ પર આધારિત બોર્ડર મૂવીમાં અનુરાગ સિંહ, સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ જેવા ધુરંધર કલાકાર છે. આ ફિલ્મની જાહેરાત થઇ ત્યારથી જ દર્શકો તેની રિલીઝની રાહ જોઇ રહ્યા છે અને જે હવે ટુંક સમયમાં સમાપ્ત થવા જઇ રહી છે. જો કે, આ ફિલ્મ રિલીઝ થવાની પહેલા મૂવી જોવા માટે લોકો જેટલા ઉત્સાહિત છે, તેનાથી નિર્માતાઓની અપેક્ષાઓ વધી જાય છે.

Advertisment

ફિલ્મનું ટીઝર, તેના ગીતો અને ટ્રેલર ઘણા લોકોને પસંદ આવ્યું હતું. આ ફિલ્મ 1997માં આવેલી ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે, જે 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન લોંગેવાલાના યુદ્ધ પર આધારિત હતી. જો કે આ વખતે વાર્તા પણ 1971ના ભારત-પાક યુદ્ધ પર હશે, પરંતુ પાત્રો બદલાશે. આ વખતે ફિલ્મમાં ભારતીય સેનાની સાથે ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની તાકાત પણ જોવા મળશે.

તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જે પછી તેના સ્ટાર્સ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સની દેઓલ 6 શીખ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંહ કલેરની ભૂમિકામાં છે. દિલજીત દોસાંઝ ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોન (પીવીસી)ની ભૂમિકા ભજવે છે, જે ભારતીય વાયુસેનાની 18 સ્ક્વોડ્રનના સભ્ય હતા. યુદ્ધ દરમિયાન તેમણે એકલા શ્રીનગર એરબેઝની સુરક્ષા કરી હતી.

અહાન શેટ્ટી આઈએનએસ ખુખરીના લેફ્ટનન્ટ કમાન્ડર એમએસ રાવતની ભૂમિકા ભજવે છે. તો વરુણ ધવન 'બોર્ડર 2'માં મેજર હોશિયાર સિંહનો રોલ કરી રહ્યો છે. બાદમાં યુદ્ધ દરમિયાન તેમની બહાદુરી બદલ તેમને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. ટ્રેલરમાં, તે 'હમ પૂજા રામ કી કરતે હૈ, તેવર પશુરામ કે રાખતે હૈ' જેવા સંવાદો બોલતા જોઇ શકાય છે. ચાલો હવે આપણે જાણીયે કે, મેજર હોશિયાર સિંહ કોણ હતા.

Advertisment

મેજર હોશિયાર સિંહ કોણ હતા?

અભિનેતા વરુણ ધવન 'બોર્ડર 2'માં તેના અભિનય માટે તેના ચહેરાના અભિવ્યક્તિને કારણે ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. જો કે, ઘણા લોકો કહે છે કે ફિલ્મ ચલાવવાની આ રીત પણ છે. તમને જણાવી દઈએ કે તે અનુરાગ સિંહની ફિલ્મમાં 3 ગ્રેનેડિયર્સના મેજર હોશિયાર સિંહ દહિયાનો રોલ કરી રહ્યો છે, જેના માટે તેણે ખૂબ મહેનત કરી છે.

એક જૂના ઇન્ટરવ્યૂમાં હોશિયાર સિંહે બસંતરની લડાઈ દરમિયાન બનેલી ઘટનાઓને યાદ કરી હતી, જેમાં તેઓ ઘાયલ હોવા છતાં લડ્યા હતા અને સરકારે તેમની સેવા માટે તેમનું સન્માન કર્યું હતું. આ લડાઈમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ શહીદ થયા હતા. ખેતરપાલના જીવન પર આધારિત બાયોપિક 'ઇક્કીસ' આ મહિનાની શરૂઆતમાં થિયેટરોમાં આવી હતી, જેમાં અગસ્ત્ય નંદાએ અરુણ ખેત્રપાલની ભૂમિકા નિભાવી હતી.

મેજર હોશિયાર સિંહે પોતે કહી હતી આ કહાણી

સુભાષ ચૌધરીની યુટ્યુબ ચેનલ પર 1997માં રેકોર્ડ કરવામાં આવેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં હોશિયર સિંહે બસંતરની લડાઈની કથા વર્ણવી હતી, જેમાં પાકિસ્તાનની અનેક ટેન્કો નાશ થઇ હતી અને તેમના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. હોશિયાર સિંહે જણાવ્યું હતું કે તેમને સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશવાનું અને બસંતર નદી પર પુલ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સ્થળ સરહદથી લગભગ 20 કિલોમીટર દૂર હતું.

મેજર હોશિયાર લેફ્ટ ફોરવર્ડ કંપનીની કમાન સંભાળતા હતા અને તેમને જારપાલ ગામ પર કબજો કરવાનું કહેવામાં આવ્યું હતું, જે તે સમયે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત હતું. તેમણે કહ્યું કે તે વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા લેન્ડમાઇન નાખવામાં આવી હતી અને ત્યાં ટેન્કો અને દારૂગોળો પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

મેજરે કહ્યું કે તેમને જારપાલ ગામની ડાબી બાજુના વિસ્તાર પર કબજો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પછી 15 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે તેમને નદી પાર કરીને ગામ પર કબજો કરવાનો આદેશ મળ્યો. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં, તેઓએ નદી પાર કરી અને રાત્રે 12 વાગ્યા સુધીમાં ભૂપ્રદેશ પર કબજો કર્યો, દુશ્મનના દુર્ગમ મોરચાને તોડી નાખ્યો. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે આ કામ બહું મુશ્કેલ હતું, કારણ કે દુશ્મન આવી જગ્યા પર કબજો કરવાની મંજૂરી આપશે નહીં અને જો તે કરે તો પણ, તે તેને પાછું લેવા માટે જાન લગાવી દેશે.

હોશિયાર સિંહે કહ્યું હતું કે આ વિસ્તાર ટૂંકા સમયમાં કબજે કરવા માટે તેમના પર ખૂબ દબાણ હતું કારણ કે તે વ્યૂહાત્મક મિશન માટે જરૂરી હતું. તેઓએ રાત્રે 12 વાગ્યા સુધીમાં ગામ કબજે કરવાનું હતું અને નદી પર પુલ બાંધવાનો સવાર સુધીનો સમય હતો જેથી ભારતીય ટેન્કો આ વિસ્તારમાં પ્રવેશી શકે. તે સમયે તેમને તમામ માઇનફિલ્ડ્સ પણ સાફ કરવા પડ્યા હતા.

જરપાલ પર કબજો કર્યા બાદ પાકિસ્તાની સેનાએ તેમને ઘેરી લીધા હતા અને જવાબમાં તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. પહેલો હુમલો 16 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યે પાયદળ દ્વારા થયો હતો. થોડી જ વારમાં તેમણે પોતાની ટેન્કો વડે હુમલો કર્યો હતો. આગળનો હુમલો બપોરે 12 વાગ્યે વધુ ટેન્કો સાથે થયો હતો.

ત્યારબાદ સાંજે 4 વાગે પાકિસ્તાની સેનાએ પોતાની ટેન્કોથી ફરી હુમલો કર્યો હતો. સળંગ ત્રણ ટેન્ક હુમલા થયા અને અમે દુશ્મનની 40-45 ટેન્કોનો નાશ કરવામાં સફળ રહ્યા. આ ટેન્ક હુમલામાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ શહીદ થયા હતા. મેજર હોશિયાર સિંહે યાદ અપાવ્યું હતું કે 16-17 ડિસેમ્બરે પાકિસ્તાને વધુ સૈનિકો લાવ્યા હતા અને બંને બાજુથી ભારતીય સેના પર હુમલો કર્યો હતો.

એક બાજુથી ટેન્કો હુમલો કરી રહી હતી અને બીજી બાજુથી પાયદળ હુમલો કરી રહી હતી. તેમણે યાદ અપાવ્યું કે તેમણે (પાકિસ્તાન) બહુ માર ખાધો હતી. પાકિસ્તાની સેનાના પાયદળના સૈનિકો લગભગ 300-350 સૈનિકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા અને ઘણી ટેન્કો પણ નાશ પામ્યા હતા. આ હુમલામાં 97 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ એકઠા કરીને તેમને સોંપવામાં આવ્યા હતા. મેજર હોશિયારે યાદ કર્યું કે આ યુદ્ધ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો | Border 2: બોર્ડર 2 ફિલ્મ માટે સની દેઓલે લીધી સૌથી વધુ ફી, જાણો ક્યા કલાકારે કેટલી ફી ચાર્જ કરી

ત્યારબાદ 18 ડિસેમ્બરે પાકિસ્તાન તરફથી એક બ્રિગેડ કમાન્ડર સફેદ ધ્વજ લહેરાવતો આવ્યો હતો. તેમણે પાકિસ્તાની સૈનિકોના મૃતદેહો માંગ્યા અને જાહેરાત કરી કે તેઓ હવે પાછા ખેંચી રહ્યા છે. ત્યાં સુધીમાં સરકારોએ યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. મેજર હોશિયાર સિંહે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ બાદ ભારતીય બ્રિગેડ કમાન્ડર આવ્યા અને મેદાન પરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જ્યારે હોશિયાર સિંહ ઘાયલ હાલતમાં પડ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે બહાદુરીથી લડત આપી હતી. મેજર હોંશિયાર સિંહ 1988 માં ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. 1998માં ૬૧ વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. 

મનોરંજન ન્યૂઝ bollywood