Rajkummar Rao: રાજકુમાર રાવ અને પત્રલેખા એ પુત્રીની પ્રથમ તસવીર શેર કરી, આ દેવી પર રાખ્યું નામ

Rajkummar Rao And Patralekhaa Daughter Photo: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ તેમની પુત્રીનો પ્રથમ ફોટો શેર કર્યો છે. આ સાથે જ તેમણે પુ્ત્રીનું નામ પણ જાહેર કર્યું છે.

Rajkummar Rao And Patralekhaa Daughter Photo: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ તેમની પુત્રીનો પ્રથમ ફોટો શેર કર્યો છે. આ સાથે જ તેમણે પુ્ત્રીનું નામ પણ જાહેર કર્યું છે.

author-image
Ajay Saroya
New Update
rajkummar rao patralekhaa revealed daughter

Rajkummar Rao Daughter Photo And Name : રાજકુમાર રામ અને પુત્રલેખાએ પુત્રીની પ્રથમ તસવીર શેર કરવાની સાથે સાથે નામ જાહેર કર્યું છે. Photograph: (Patralekhaa Insta)

Rajkummar Rao And Patralekhaa Daughter Photo: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા હાલમાં માતાપિતા બનવાનો આનંદ માણી રહ્યા છે. હકીકતમાં, ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ તેમના લગ્નની ચોથી વર્ષગાંઠ પર પત્રલેખાએ પુત્રીને જન્મ આપ્યો હતો. તે સમયે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આ માહિતી આપી હતી. દીકરીના જન્મના લગભગ બે મહિના બાદ આ દંપતીએ હવે તેમની પુત્રીનો પ્રથમ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે જ પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે.

Advertisment

રાજકુમાર - પત્રલેખા એ દીકરીનું નામ જાહેર કર્યું

રાજકુમાર રાવ અને પત્રલેખાએ સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે ચાહકોને પોતાની લાડલીની પ્રથમ ઝલક બતાવી છે. હકીકતમાં આ દંપતીએ શેર કરેલી તસવીરમાં, તેઓએ તેમના હાથની વચ્ચે તેમની પુત્રીનો હાથ મૂક્યો છે.

તેમણે નાના નાના હાથની તસવીર દેખાડતા કપલે કેપ્શનમાં લખ્યું છે - 'હાથ જોડીને અને પુરા હૃદયથી અમે અમારા સૌથી મોટા આશીર્વાદ સાથે પરિચય કરાવીએ છીએ. પાર્વતી પોલ રાવ. જોકે, આ દંપતીએ હજુ સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી. આ માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

પાર્વતીનો અર્થ શું છે?

રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમની નાની પરીનું નામ 'પાર્વતી' રાખ્યું છે. હિન્દુ ધર્મમાં આ નામ ખૂબ જ ખાસ છે. પાર્વતી માતા ભગવાન શિવની પત્ની અને શક્તિનું પ્રતીક છે.

Advertisment

રાજકુમાર - પત્રલેખા પર શુભેચ્છાનો વરસાદ

રાજકુમાર અને પત્રલેખા એ આ પોસ્ટ શેર કરવાની સાથે જ તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સે આ અંગે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. વિકી કૌશલ, સોનમ કપૂર, ભૂમિ પેડનેકર, આયુષ્માન ખુરાના અને તારા સુતરિયાએ કોમેન્ટ સેક્શનમાં લાલ હૃદયના ઇમોજી શેર કર્યા હતા.

આ પણ વાંચો : હમ પૂજા રામ કી કરતે હૈ, તુવેર પરશુરામ કે રખતે હૈ! મેજર હોશિયાર સિંહ કોણ હતા? વરુણ ધવન બોર્ડર 2 માં ભૂમિકા ભજવી

રાજકુમાર અને પત્રલેખાની મુલાકાત કેવી રીતે થઈ?

રાજકુમારે પહેલીવાર પત્રલેખાને એક જાહેરાતમાં જોઈ હતી. અભિનેત્રી તેને પહેલી નજરે જ પસંદ આવી હતી. આ પછી બંને હંસલ મહેતાની ફિલ્મ 'સિટીલાઇટ્સ'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બંનેએ નવેમ્બર 2021 માં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

bollywood મનોરંજન ન્યૂઝ