'મારું આખું નામ રામ છે…', રઝા મુરાદે ભગવાન રામ સાથેના તેમના વિશેષ સંબંધ વિશે કરી વાત

રઝા મુરાદે જણાવ્યું કે, જો તેમના નામના ત્રણેય અનીશિયલ્સને ભેગા કરી દેવામાં આવે તો 'રામ' બની જાય છે. માત્ર એટલું જ નહીં રામલાલની તેમના પર ઘણી મહેરબાનીઓ રહી છે. તો ચલો જાણીએ અભિનેતાએ શું કહ્યું.

રઝા મુરાદે જણાવ્યું કે, જો તેમના નામના ત્રણેય અનીશિયલ્સને ભેગા કરી દેવામાં આવે તો 'રામ' બની જાય છે. માત્ર એટલું જ નહીં રામલાલની તેમના પર ઘણી મહેરબાનીઓ રહી છે. તો ચલો જાણીએ અભિનેતાએ શું કહ્યું.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Raza Murad Lord Ram, Connection With Lord Ram,

અભિનેતા રઝા મુરાદ (Photo Credit: Official Instagram)

'રામ તેરી ગંગા મૈલી', 'રામ લખન' અને 'રામલીલા' સહિત ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો ડંકો વગાડનારા અભિનેતા રઝા મુરાદને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ઘણા સ્ટાર્સ સાથે અલગ-અળગ ઝોનરની ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોએ હંમેશા તેમના અભિનયના વખાણ કર્યા છે. હાલમાં અભિનેતા અયોધ્યામાં હતા, ત્યાં તેમણે રાવણના ભાઈ વિભિષણની ભૂમિકા ભજવી હતી.

Advertisment

તેના પછી અભિનેતાએ એએનઆઈ સાથે વાતચીત કરતા ભગવાન રામ સાથે પોતાના ખાસ કનેક્શનની વાત કરી હતી. રઝા મુરાદે જણાવ્યું કે, જો તેમના નામના ત્રણેય અનીશિયલ્સને ભેગા કરી દેવામાં આવે તો 'રામ' બની જાય છે. માત્ર એટલું જ નહીં રામલાલની તેમના પર ઘણી મહેરબાનીઓ રહી છે. તો ચલો જાણીએ અભિનેતાએ શું કહ્યું.

આ સાથે આગળ વાત કરતા તેમણે કહ્યું કે, હું રામપુરનો રહેવાસી છું. મને પહેલું જે કામ મળ્યું તે બાબૂ રામ ઈશારા એ આપ્યું હતું. મારી જે પ્રથમ હિટ ફિલ્મ આવી, જેને મારી જિંદગી બદલી નાંખી તે હતી 'રામ તેરી ગંગા મૈલી'. તેના પછી સુભાષ ઘાઈએ મને તેમની ફિલ્મ રામ લખનમાં લીધો. તો રામનું નામ મારા માટે ખુબ જ શુભ છે.

આ પણ વાંચો: Baba Siddique જ નહીં આ સેલેબ્સની પણ થઈ હત્યા, ગુલશન કુમારને તો 16 ગોળીઓ મારી હતી

Advertisment

એક્ટરે આગળ કહ્યું કે હંમેશા તેમની મહેરબાની રહી છે અને સૌથી મોટી વાત જે રહી છે તે કે મેં છેલ્લા 12 વર્ષમાં રામલીલામાં જે ભૂમિકાઓ ભજવી છે તે. ક્યારેક રાજા જનક બન્યો છુ, તો ક્યારેક વિશ્વામિત્ર બન્યો છું. ક્યારેક અહિરાવણ બન્યો છું તો ક્યરેક કુંભકર્ણ બન્યો છું. હંમેશા રામલલાની કૃપા મારા પર બની રહી છે.

તમને જણાવી દઈએ કે, આ કોઈ પ્રથમવાર નથી જ્યારે રઝા મુરાદે ભગવાન રામને લઈ કોઈ વાત કરી હોય. આ પહેલા પણ અભિનેતા ઘણી વખત ભગવાન રામ વિશે વાત કરી ચુક્યા છે. અયોધ્યામાં બનેલા રામ મંદિર પર પણ અભિનેતાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Ayodhya celebrities મનોરંજન ન્યૂઝ રામ મંદિર