સુપરસ્ટાર શાહરૂખ ખાનના સંઘર્ષો વ્યાપકપણે જાણીતા છે, અને બોલિવૂડના શાસક રાજા બનવાની તેમની સફર અસંખ્ય મહત્વાકાંક્ષી અભિનેતાઓ માટે પ્રેરણારૂપ છે. અભિનેતા મનોજ બાજપેયીએ શાહરૂખને મુશ્કેલીઓમાંથી બહાર આવવા વિષે વાત કરી હતી. મનોજે એક નવા ઈન્ટરવ્યુમાં કહ્યું કે શાહરૂખે માત્ર ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું નથી, પરંતુ તેણે પોતાનું અંગત જીવન પણ ફરીથી રીબીલ્ડ કર્યું છે.
ધ લલાંટોપ સાથેની એક મુલાકાતમાં મનોજે કહ્યું હતું કે, “ જબ ભી મેં ઔર શાહરુખ મિલતે હૈ, ઝ્યાદા નહીં મિલતે હૈ, હમારી દુનિયા અલગ હૈ, મૈને અપની દુનિયા બનાઈ, ઉસને અપની. હમારી ઝ્યાદા મુલકાત હોતી નહી હૈ. જબ હમ 19-20 સાલ કે થે, હમને 1.5 સાલ તક સાથ મેં કામ કિયા થા. વો જાન પહેચાન હૈ ઔર ઇજ્જત હૈ એક દુસરે કે લિયે (હું શાહરૂખને ઘણી વાર મળતો નથી, અમારી દુનિયા અલગ છે. અમે 19-20 વર્ષના હતા ત્યારે અમે 1.5 વર્ષ સાથે કામ કર્યું હતું. અમને પરસ્પર આદર છે. એકબીજા).”
મનોજે ઉમેર્યું હતું કે, “મુઝે બહોત ખુશી હોતી હૈ ઉસકો ઉસ મુકામ પે દેખ કે, જિસ તરહ કે દુનિયા ઉસને ખાદી કે અપને લિયે. એક વ્યકિત જીસકા પુરા દુનિયા ઉજાડ ચૂકા થા, 26 સાલ કે ઉમર મેં, ઔર ઉસકા પુરા પરિવાર જા ચૂકા થા, ફિર ઉસને અપની દુનિયા ખાદી કી, પરિવાર અપના બનાવો કિયા, અપને લિયે ઇતના બડા નામ, ઇઝત બનાયા (હું જોઈને ખૂબ ખુશ છું ) તેણે સફળતાનું આ સ્તર હાંસલ કર્યું. તેણે પોતાનો પરિવાર ગુમાવ્યો હતો, તેની કારકિર્દીથી લઈને તેના અંગત જીવન સુધીનું બધું જ ફરીથી બનાવ્યું હતું).
SRK અને મનોજે બે પ્રસંગોએ સ્ક્રીન શેર કરી છે. તેઓ સૌપ્રથમ 1989ની ટીવી ફિલ્મ ઇન વિચ એની ગીવ્ઝ ઇટ ધેન્સમાં સાથે દેખાયા હતા. વર્ષો પછી, તેઓ 2004ની મહાકાવ્ય ફિલ્મ વીર-ઝારા માટે ફરી જોડાયા હતા.
તેણે કહ્યું હતું કે, “મૈં ઇસલીયે આદર કરતા હૂં ક્યૂંકી મેં ઉનકે આસ પાસ સારે દોસ્તોં મેં થા, જીસને દેખા થા ઉસકે સાથ યે સબ હોતે હુએ. મેરે લિયે કભી શાહરુખ કે લિયે કોઈ કદવહત નહીં હો શકતી (હું તેમનો આદર કરું છું કારણ કે હું તેનો એક મિત્ર હતો જેણે તેને સૌથી ખરાબ સમયે જોયો હતો. હું શાહરૂખની સફળતા વિશે ક્યારેય કડવો ન હોઈ શકું).”
દસ કા દમ શોમાં, એસઆરકેએ તેના પિતાને ગુમાવવાની વાત કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે, “જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે હું 15 વર્ષનો હતો અને જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે હું 26 વર્ષનો હતો. તે અમારા માટે ખૂબ જ દુઃખદ હતું. મારા માતા-પિતા વિનાનું ખાલી ઘર અમને (મારી બહેન અને મને) કરડવા માટે આવતું. મારા માતા-પિતા બંનેની ખોટની એકલતા, પીડા અને ઉદાસી મારા જીવનને સંપૂર્ણ રીતે કબજે કરવા માટે ખૂબ જબરજસ્ત છે.
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો