ભારતની આ અભિનેત્રીએ પાકિસ્તાની કલાકારોને ચોખ્ખું પરખાવ્યું, લખ્યું- હવે તમારી દેશભક્તી જાગી…

ટીવી અભિનેત્રી સુરભી દાસે પાકિસ્તાની અભિનેત્રીઓને આડે હાથ લીધી છે. પાકિસ્તાની અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને 'ઓપરેશન સિંદૂર'ની ટીકા કરી હતી.

ટીવી અભિનેત્રી સુરભી દાસે પાકિસ્તાની અભિનેત્રીઓને આડે હાથ લીધી છે. પાકિસ્તાની અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને 'ઓપરેશન સિંદૂર'ની ટીકા કરી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
hania aamir, surabhi das, mahira khan,

'ઓપરેશન સિંદૂર'ની ટીકા કરનારી પાકિસ્તાની અભિનેત્રીઓને સુરભી દાસે આડેહાથ લીધી હતી. (તસવીર: instagram)

ટીવી અભિનેત્રી સુરભી દાસે પાકિસ્તાની અભિનેત્રીઓને આડે હાથ લીધી છે. પાકિસ્તાની અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને 'ઓપરેશન સિંદૂર'ની ટીકા કરી હતી. જોકે ભારતમાં તેમના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ છે, પરંતુ તેમની પોસ્ટ્સ સોશિયલ મીડિયા દ્વારા સુરભી સુધી પહોંચી હતી. આવામાં તેણીએ તેમને યોગ્ય જવાબ આપ્યો છે.

Advertisment

સજલ અલીએ 'ઓપરેશન સિંદૂર'ની નિંદા કરતા સુરભી ગુસ્સે થઈ ગઈ. અભિનેત્રીએ લખ્યું, "આ લોકો શું બકવાસ કરી રહ્યા છે ભાઈ? હવે તેમને યાદ આવ્યું કે નિર્દોષોને મારવા ન જોઈએ. અરે ભાઈ, ત્યારે તેમણે આપણા 26 લોકોને કેમ માર્યા?? તે લોકો તેમના પરિવારો સાથે સમય વિતાવવા કાશ્મીર ગયા હતા. તેમનો શું વાંક હતો? હવે મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે, ત્યારે કોઈએ તેમને કંઈ કહ્યું નહીં?"

,

સુરભીએ માહિરા ખાનને પણ જોરદાર જવાબ આપ્યો. અભિનેત્રીએ લખ્યું, "તે કામ મેળવવા માટે અડધો સમય ભારતમાં રહેતી હતી. હવે અચાનક તેની દેશભક્તિ જાગી ગઈ છે. તેને શરમ આવવી જોઈએ. તે ભારતમાં કામ માંગતી હતી. તે કહેતી હતી કે, અમે મરી જઈશું પણ પાકિસ્તાની ફિલ્મોમાં કામ નહીં કરીએ. બહેન, અમે ત્યાં ક્રિકેટ પણ રમતા નથી અને તમે અહીં કામ માંગવા આવો છો. તમને શરમ આવવી જોઈએ કારણ કે તમે ઘરના નથી કે ઘાટના નથી."

Advertisment

આ પણ વાંચો: જો કોઈ દેશ પરમાણુ બોમ્બ ફેંકે તો રેડિયેશનથી બચવાનો શું રસ્તો છે?

હાનિયા આમિરની પોસ્ટનો જવાબ આપતા સુરભીએ લખ્યું, "તું તો બહેન બોલીશ જ નહીં, તમે બોલિવૂડ ગીતો ગાઈને ભારતીય દર્શકો સામે ભીખ માગો છો, શું તમને શરમ નથી આવતી?? દર બે દિવસે તમે ભારતીય દર્શકો માટે પોસ્ટ કરો છો. તમે ભારતીય ફિલ્મોમાં ભૂમિકા મેળવવા માટે ભીખ માગો છો અને હવે ભારતીય ફિલ્મોમાં કામ કરવાનું તમારું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે, તેથી તમે ગુસ્સે છો? જ્યારે અમારા લોકો માર્યા ગયા ત્યારે તમને ગુસ્સો કેમ ન આવ્યો?"

ઓપરેશન સિંદૂર મનોરંજન ન્યૂઝ