scorecardresearch

32000 મહિલાઓને કટ્ટરપંથી બનાવવાના ધ કેરલા સ્ટોરીના દાવા પર વિપુલ શાહનું મોટું નિવેદન: ’32 કે 32,000…’ તેનાથી કોઈ ફરક પડતો નથી

The Kerala Story: ધ કેરલા સ્ટોરીના નિર્માતા વિપુલ શાહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં 32,000ના આંકડા પર જે વિવિાદ સર્જાયો તે અંગે પ્રતિક્રિયા આપી છે.

the kerala story release date
ધ કેરલા સ્ટોરીએ દસમાં દિવસે કરી આટલા કરોડની કમાણી

જ્યારે ધ કેરલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી આ ફિલ્મ વિવાદમાં સપડાઇ છે. ટ્રેલર મુજબ ફિલ્મમાં લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને જોરથી ઉઠાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં કેરળની 32,000થી વધુ છોકરીઓને ઇસ્લામ કબૂલ કરવા મજબૂર કરવામાં આવી હતી અને આતંકવાદી જૂથ ISISમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી. જો કે આ આંકડાને લઇને વિવાદ સર્જાતા 32 હજારને સ્થાને 3 કરવામાં આવ્યો છે. આ અંગે હવે ધ કેરલા સ્ટોરીના નિર્માતા વિપુલ શાહનું નિવેદન સામે આવ્યું છે.

મહત્વનું છે કે, ફિલ્મ ‘The Kerala Story’નું ટ્રેલર સામે આવતાની સાથે જ કેરળમાં રાજકીય તોફાન મચી ગયું. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જેમ તેને સમાજમાં એકતરફી અને સાંપ્રદાયિક તણાવ વધારનારી ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી. કેરળમાં સત્તારૂઢ સીપીઆઈ (એમ) અને કોંગ્રેસ બંનેએ તેને ભાજપ અને RSSનો એજન્ડા ગણાવ્યો છે. તેઓ કહે છે કે 32,000નો આંકડો બનાવટી છે.

ફિલ્મ નિર્માતા વિપુલ શાહ આશ્ચર્યમાં છે કે નંબરમાં શું છે? પરંતુ કોઇ વાંધો નહીં. ન્યૂઝ 18 સાથેની એક મુલાકાતમાં, વિપુલ શાહને આંકડો પાછો ખેંચવા અંગે કહ્યું કે, , “અમે એક વાર્તા કહેવા માગતા હતા જે કહેવાની જરૂર હતી. તે સંખ્યા વિશે ક્યારેય નહોતું. 32 કે 32,000 મહિલાઓ આ અનુભવમાંથી પસાર થઈ છે કે કેમ તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વની બાબત એ છે કે આ (ધાર્મિક પરિવર્તન) થયું. અને આ વાર્તાને પબ્લિક ડોમેનમાં લાવવાની હતી.

અદા શર્મા , યોગિતા બિહાની, સિદ્ધિ ઇદનાની અને સોનિયા બાલાની અભિનીત , ધ કેરલા સ્ટોરી ગયા અઠવાડિયે નબળી સમીક્ષાઓ વચ્ચે રિલીઝ થઈ હતી, પરંતુ બોક્સ ઓફિસ કલેક્શનમાં ઝળહળતું થયું, જે ગયા વર્ષની ધ કાશ્મીર ફાઇલ્સની જેમ ટ્રેન્ડિંગ હતું . બંને ફિલ્મોને શાસક ભાજપ સરકાર તરફથી સમર્થન મળ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ભાષણમાં આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો.

શુક્રવારે મતદાનગ્રસ્ત કર્ણાટકના બલ્લારીમાં એક રેલીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ધ કેરલા સ્ટોરીનો સંદર્ભ આપ્યો અને કહ્યું, “દેશનું આટલું સુંદર રાજ્ય, જ્યાં લોકો મહેનતુ અને પ્રતિભાશાળી છે. કેરળ સ્ટોરી ફિલ્મ તે રાજ્યમાં થઈ રહેલા આતંકવાદી કાવતરાઓને બહાર લાવે છે.

આ પણ વાંચો: હિન્દુ મહાકાવ્યોથી પ્રભાવિત એસ.એસ.રાજામૌલીનો મોટો ખુલાસો, મહાભારત પર ફિલ્મ બનાવશે તો તે 10 ભાગમાં…

આપને જણાવી દઇએ કે, પશ્લિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ધ કેરલા સ્ટોરી પર પ્રતિબંધ લગાવતા ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ સાથે તમિલનાડુમાં પણ આ ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. તેમ છતાં ફિલ્મની કમાણી પર તેનો કોઇ જ પ્રભાવ પડ્યો નથી અને ફિલ્મ આજે એટલે કે રિલીઝના પાંચમાં દિવસે બોક્સ ઓફિસ પર 50 કરોડનો આંકડો વટાવી દીધો છે.

Web Title: The kerala story claim 32000 women radicalised by islamic fundamentalists vipul shah reaction

Best of Express