scorecardresearch

the kerala story: ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને સીએમ વિજયન RSSનો પ્રોપગન્ડા કહી રહ્યા, શું છે આ ફિલ્મના વિવાદની કહાની?

the kerala story film controversy : ધ કેરળ સ્ટોરી ફિલ્મનો વિવાદ વધી રહ્યો છે. કેરળ સીએમ વિજયને (kerala cm vijayan) આ ફિલ્મના ટ્રેલર વિશે કહ્યું કે, આ કેરળ રાજ્યને વિશ્વ સામે અપમાનિત કરી રહ્યું, આ આરએસએસ (RSS) નો પ્રોપગેન્ડા છે, લવ જેહાદ (love jihad) જેવું અહીં કઈ નથી, અને તેની કહાની જુઠાણું ફેલાવે છે.

the kerala story film controversy
ધ કેરળ સ્ટોરી ફિલ્મનો શું વિવાદ છે?

નિતેશ દુબે : ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને વિવાદ થયો છે. તો, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેઓએ આ ફિલ્મની ટીકા કરી છે અને સંઘ પરિવાર પર પણ નિશાન સાધ્યું છે. સીએમ વિજયને કહ્યું કે, પ્રથમ નજરે ફિલ્મનું ટ્રેલર ઇરાદાપૂર્વક કોમી ધ્રુવીકરણ અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવાના કથિત ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે. સીએમએ કહ્યું કે, વિશ્વની સામે રાજ્યને અપમાનિત કરવા માટે ફિલ્મના મુખ્ય આધાર તરીકે કેરળને બતાવવામાં આવ્યું છે.

સાંપ્રદાયિક ધ્રુવીકરણનો પ્રયાસ: કેરળના સીએમ

મીડિયા સાથે વાત કરતા, સીએમ વિજયને કહ્યું, “હિન્દી ફિલ્મ ધ કેરલા સ્ટોરીનું ટ્રેલર, જે ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણના ઉદ્દેશ્ય સાથે અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે બનાવવામાં આવ્યું હતું, જે ભૂતકાળમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર સૂચવે છે કે, આ ફિલ્મ સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે, જે કેરળમાં ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત થયેલ છે, જે બિનસાંપ્રદાયિકતાની ભૂમિ છે.”

આરએસએસ પર નિશાન સાધતા, સીએમ વિજયને કહ્યું, “કેરળમાં ચૂંટણીના રાજકારણમાં લાભ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં પ્રચારની ફિલ્મો અને તેમના મુસ્લિમ વિમુખતાને જોવાની જરૂર છે. આ “લવ જેહાદ” ના આરોપો લગાવવા માટે એક વ્યવસ્થિત પગલાનો એક ભાગ છે, જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રદિયો આપ્યો હતો. જી. કિશન રેડ્ડી, તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી, જેઓ હજુ પણ કેબિનેટ મંત્રી છે, તેમણે સંસદમાં જવાબ આપ્યો હતો કે, લવ જેહાદ જેવી કોઈ વસ્તુ નથી.”

સીએમએ કહ્યું, “કેરળમાં અન્ય કેટલાક રાજ્યોની જેમ સંઘ પરિવારની રાજનીતિ કામ કરતી નથી, તે ધ્યાનમાં રાખીને, તેઓ નકલી કહાની અને ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંઘ પરિવાર કોઈ પણ તથ્ય અને પુરાવા વગર આવી ખોટી વાતો ફેલાવી રહ્યું છે. કેરળમાં 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ ગઈ, આ મોટું જૂઠ આપણે ફિલ્મના ટ્રેલરમાં જોયું. આ બનાવટી કહાની સંઘ પરિવારની જૂઠાણાની ફેક્ટરીનું ઉત્પાદન છે.

શું છે સમગ્ર વિવાદ?

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’માં દાવો કરવામાં આવ્યો છે કે, કેરળ રાજ્યની 32,000 હિંદુ છોકરીઓએ ઈસ્લામ અંગીકાર કર્યો અને પછી તેમને સીરિયા લઈ જવામાં આવી અને તેમને ISISમાં સામેલ કરવામાં આવી. ધ કેરલા સ્ટોરીના દિગ્દર્શક સુદીપ્તો સેન છે અને તેમણે એક યુટ્યુબ ચેનલ ધ ફેસ્ટિવલ ઓફ ભારતને ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું છે કે, તેમને 32,000 છોકરીઓના ધર્મ પરિવર્તનનો આંકડો ક્યાંથી મળ્યો.

32 હજારનો આંકડો કેવી રીતે લીધો? જાણો

આ અંગેનો અહેવાલ વિધાનસભા સમક્ષ મુકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અંગે તેમણે કહ્યું કે, દર વર્ષે લગભગ 2,800 થી 3,200 છોકરીઓ ઈસ્લામ અંગીકાર કરી રહી છે. આની મદદથી તમે આગામી 10 વર્ષની ગણતરી કરી શકો છો. આ સંખ્યા 30 થી 32 હજાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓમન ચાંડીએ 25 જૂન 2012ના રોજ પણ કોર્ટમાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું. ઓમેન ચાંડીએ પોતાના નિવેદનમાં આપેલો આંકડો લગભગ સાડા છ વર્ષનો હતો. કેરળમાં સાડા છ વર્ષમાં 2,667 છોકરીઓએ ઈસ્લામ કબૂલ કર્યો હતો.

આ પણ વાંચોધ કેરળ સ્ટોરી ટ્રેલર! સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની કહાની સાંભળીને રુંવાટા ઉભા થઈ જશે

કેરળ સ્ટોરીમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં, તેણીએ શાલિની ઉન્નીક્રિષ્નનની ભૂમિકા ભજવી હતી, જે કેરળમાં જન્મેલી એક હિન્દુ પરિવારની છોકરી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે, શાલિનીનું ધર્મ પરિવર્તન થયું હતું અને તેનું નામ ફાતિમા રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે શાલિનીને ફાતિમા બનાવવામાં આવી અને પછી તેને ISIS વતી લડવા માટે સીરિયા મોકલવામાં આવી. ફિલ્મનું ટ્રેલર 26 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતું, જ્યારે સંપૂર્ણ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થશે.

ડિક્લેઈમર : આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: The kerala story film controversy kerala cm vijayan rss movie trailer and release date

Best of Express