કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની ઉંમરે નિધન, ચિરંજીવીથી લઈ પવન કલ્યાણે આપી શ્રદ્ધાંજલિ

Kota Srinivasa Rao Death News: પીઢ તેલુગુ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે હૈદરાબાદમાં અવસાન થયું. શ્રીનિવાસ રાવના 13 જુલાઈ, રવિવારના રોજ તેમના ઘરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Kota Srinivasa Rao Death News: પીઢ તેલુગુ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે હૈદરાબાદમાં અવસાન થયું. શ્રીનિવાસ રાવના 13 જુલાઈ, રવિવારના રોજ તેમના ઘરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
kota srinivasa rao, kota srinivas

Kota Srinivasa Rao Death News. (Express Photo)

Kota Srinivasa Rao Death News: પીઢ તેલુગુ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે હૈદરાબાદમાં અવસાન થયું. શ્રીનિવાસ રાવના 13 જુલાઈ, રવિવારના રોજ તેમના ઘરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જ્યાં મેગાસ્ટાર ચિરંજીવી, પવન કલ્યાણ, પ્રકાશ રાજ, વેંકટેશ દગ્ગુબાતી અને રાણા દગ્ગુબાતી સહિત તેલુગુ ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમના નિધનથી માત્ર દક્ષિણ સિનેમાના લોકો જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગને આઘાત લાગ્યો છે. તેમણે 1978માં 'પ્રણમ ખારીડુ' ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1990ના દાયકામાં ભાજપમાં જોડાયા હતા અને 1999માં વિજયવાડા બેઠક પરથી આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

Advertisment

કોટા શ્રીનિવાસ રાવના અંતિમ વિદાય સમારંભમાં સ્ટાર્સ પહોંચ્યા

ચિરંજીવીએ શ્રીનિવાસ રાવના પાર્થિવ દેહને લાલ ગુલાબની માળા અર્પણ કરી અને અભિનેતાના ફોટા સામે આદરપૂર્વક માથું નમાવ્યું. શોકપૂર્ણ કાર્યક્રમમાં અભિનેતાના પરિવારના સભ્યો પણ હાજર હતા. અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ કડક સુરક્ષા વચ્ચે દિવંગત અભિનેતાના ઘરે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: એક સમયે બોલિવૂડની દિગ્ગજ હિરોઈનોની હરોળમાં હતી, હવે એક્ટ્રેસ બની ગઈ બૌદ્ધ સાધુ

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ચિરંજીવીએ ઉદ્યોગને થયેલા મોટા નુકસાન વિશે વાત કરી ત્યારે અભિનેતા બ્રહ્માનંદમ પણ ભાવુક દેખાયા. તેમણે કોટા શ્રીનિવાસ રાવની લગભગ પાંચ દાયકાની નોંધપાત્ર કારકિર્દી પર પ્રકાશ પાડ્યો, જેના કારણે તેમને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક તરીકે ઓળખ મળી. ખલનાયકથી લઈને કોમેડી સુધી તેમણે દરેક પાત્ર સાથે દર્શકોના દિલ જીતી લીધા છે.

Advertisment

સાઉથના સ્ટાર્સ શ્રીનિવાસ રાવને શ્રદ્ધાંજલિ આપી

ટોલીવુડ ઉદ્યોગ જેમાં જુનિયર એનટીઆર, નાગા ચૈતન્ય, સામંથા, મહેશ બાબુ, કાર્તિ, વરુણ તેજ, વિષ્ણુ મંચુ, રવિ તેજા અને એસએસ રાજામૌલી જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે, તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. ઘણા લોકોએ તેમની પ્રતિભા અને સમર્પણની પ્રશંસા કરી. રાવના શાનદાર અભિનયએ લોકોના હૃદયમાં અમીટ છાપ છોડી છે. તેમનો વારસો આવનારી પેઢીઓને અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓને પ્રેરણા આપતો રહેશે અને ખાતરી કરશે કે સિનેમામાં તેમનું યોગદાન ક્યારેય ભૂલાય નહીં.

સાઉથ મુવી ન્યૂઝ મનોરંજન ન્યૂઝ