બનાસકાંઠાના આ લગ્ન ચર્ચામાં, 145 પોલીસકર્મી બન્યા જાનૈયા, ઈન્સપેક્ટરે પોતે ચલાવી ગાડી

બનાસકાંઠા જિલ્લામાં દલિત વકીલ મુકેશ પેરેચાએ ઘોડી પર સવાર થઈને તેમના લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. આ વિસ્તારના કોઈપણ દલિત પરિવારમાં ઘોડા પર ચઢી લગ્ન કરવાનો આ પહેલો કિસ્સો હતો. લગ્નના વરઘોડાની સુરક્ષા માટે 145 પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

Written by Rakesh Parmar
February 07, 2025 17:30 IST
બનાસકાંઠાના આ લગ્ન ચર્ચામાં, 145 પોલીસકર્મી બન્યા જાનૈયા, ઈન્સપેક્ટરે પોતે ચલાવી ગાડી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગડલવાડા ગામમાં ગુરુવારે એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. (તસવીર: Freepik)

બનાસકાંઠા જિલ્લામાં દલિત વકીલ મુકેશ પેરેચાએ ઘોડી પર સવાર થઈને તેમના લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. આ વિસ્તારના કોઈપણ દલિત પરિવારમાં ઘોડા પર ચઢી લગ્ન કરવાનો આ પહેલો કિસ્સો હતો. લગ્નના વરઘોડાની સુરક્ષા માટે 145 પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. બાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ સાથે વરરાજાની ગાડીમાં બેઠા હતા. જોકે, ઘોડી પરથી ઉતર્યા બાદ ગાડીમાં ચઢતા સમયે કોઈએ ગાડી પર પથ્થર ફેંક્યો હતો. વરરાજા પેરેચાએ કહ્યું કે તેઓ એક-બે દિવસમાં આ અંગે ફરિયાદ નોંધાવશે.

લગ્નમાં ઘોડેસવારી માટે સુરક્ષા માંગવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગડલવાડા ગામમાં ગુરુવારે એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. આ લગ્ન સામાન્ય લગ્નોથી બિલકુલ અલગ હતા. વરરાજા મુકેશ પેરેચા તેના લગ્નમાં વરઘોડાની વિધિ કરવા માંગતા હતા. વિસ્તારના શક્તિશાળી લોકોએ દલિતોના ઘોડેસવારી પર પ્રતિબંધ લાદી દીધો હતો. પેરેચાએ સમારોહ માટે સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પોલીસ પાસેથી સુરક્ષાની માંગ કરી હતી.

આ પણ વાંચો: વધારે મહેનત કર્યા વગર વજન ઓછું કરવા માંગો છો? તો અપનાવો જાપાની જીવનશૈલીની આ 7 ટિપ્સ

પરેચાએ 22 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને અરજી કરી હતી. આ અરજીમાં પેરેચાએ જણાવ્યું હતું કે તેમના ગામના દલિતો લગ્ન દરમિયાન ક્યારેય વરઘોડા કે સરઘસ કાઢતા નથી. હું પહેલો વ્યક્તિ છું જે વરઘોડો કાઢીશ, જેમાં કંઈક અનિચ્છનીય બનવાની સંપૂર્ણ શક્યતા છે. અમને પોલીસ સુરક્ષા પૂરી પાડવા વિનંતી છે.

ઇન્સ્પેક્ટર પોતે વરરાજાની ગાડી ચલાવતા હતા

પોલીસે તેમના લગ્ન સરઘસની સુરક્ષા માટે 145 પોલીસકર્મીઓ તૈનાત કર્યા હતા. જિગ્નેશ મેવાણી પોતે પણ પોલીસ અધિકારીઓ સાથે લગ્નની શોભાયાત્રામાં જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા પેરેચાએ જણાવ્યું હતું કે, તેમના લગ્નનો વરઘોડો પોલીસ સુરક્ષા વચ્ચે કાઢવામાં આવ્યો હતો. જ્યારે તે ઘોડા પર હતા ત્યારે કંઈ થયું નહીં. પરંતુ જ્યારે તે ઘોડા પરથી નીચે ઉતર્યા અને પોતાની કારમાં બેઠા ત્યારે કોઈએ તેમની કાર પર પથ્થર ફેંક્યો હતો. પછી પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. વસાવાએ પોતે સ્ટીયરિંગ સંભાળ્યું હતું. તેમની સાથે કારમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ