Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/breaking-news.jpg)
breaking news । બ્રેકિંગ ન્યૂઝ
Surat News: વર્ષ 2024 ના છેલ્લા દિવસે સુરતના હજીરા ખાતે આગની મોટી દુર્ઘટના બની છે. આગની આ દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે. જ્યારે પાંચથી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે.
Advertisment
પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મોત નિપજ્યા છે. ત્યાં જ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ ઘટનામાં પાંચથી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જોકે આ દુર્ઘટના મામલે હજુ સુધી સુરત ફાયર વિભાગ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us