/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/girl-dies-of-cardiac-arrest.jpg)
કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)
Ahmedabad News: અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર જ બેસી ગઈ હતી. જે બાદ થોડા સમય પછી તે તરત જ તે ત્યાં જ ઢળી પડી હતી. જોકે શાળાના શિક્ષકોને વિશે જાણ થતા જ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મોતનું પ્રાથમિક કારણ કાર્ડિયાક એરેસ્ટ થયાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીનાં વાલી હાલ મુંબઈ છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી. બાળકીના મોતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 8 વર્ષની બાળકી 49 સેકન્ડમાં જ મોતને ભેટે છે.
કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેનાં દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેનાં માતા-પિતા હાલમાં મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે.
#Ahmedabad | થલતેજની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકી સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને ઢળી પડી.
બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી,
મોતનું પ્રાથમિક કારણ કાર્ડિયાક એરેસ્ટથી થયાનું સામે આવ્યું છે. pic.twitter.com/JRx9LEmP5c— IEGujarati (@IeGujarati) January 10, 2025
આ મામલે સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે બાળકીના મોત મામલે જાણ થતાં પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હાર્ટ એટેકના લક્ષણો
જો તમે હૃદયના રોગોથી બચવા માંગતા હોવ તો તમારે તમારા હૃદયની કાળજી લેવી પડશે. જ્યારે હૃદયમાં કોઈ સમસ્યા હોય છે, ત્યારે તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. અચાનક મૂર્છા, શ્વાસ લેવામાં તકલીફ, ધબકારા બંધ થવું, ચક્કર આવવા, છાતીમાં દુખાવો, ઉબકા અને ઉલ્ટી એ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે.
પીઠના એક ભાગમાં સતત દુખાવો એ હાર્ટ એટેકની નિશાની
બીજી તરફ કાર્ડિયાક અરેસ્ટ ત્યારે થાય છે જ્યારે હૃદય લોહીનું પમ્પ કરવાનું બંધ કરી દે છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે તમને હાર્ટ એટેક આવી શકે છે. ફેફસામાં લોહીના ગંઠાવા અને હૃદયની આસપાસ રક્તસ્ત્રાવ થવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. જો તમે હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તેના લક્ષણો વિશે જાગૃત રહેવું જરૂરી છે. પીઠના એક ભાગમાં સતત દુખાવો એ હાર્ટ એટેકની નિશાની છે?
આ પણ વાંચો: ગુજરાતમાં HMPV વાયરસની શું છે સ્થિતિ, અમદાવાદના વૃદ્ધ સંક્રમિત, શાળાઓ માટે એડવાઈઝરી
કાર્ડિયાક અરેસ્ટ શું છે?
સામાન્ય રીતે હૃદયરોગનો હુમલો અથવા હૃદયની નિષ્ફળતા પછી કાર્ડિયાક અરેસ્ટ થાય છે. હૃદયરોગનો હુમલો એ હૃદયની મુખ્ય ધમનીઓમાંની એકમાં અવરોધને દર્શાવે છે, જેના કારણે હૃદયને અચાનક નુકસાન થાય છે. જ્યારે હૃદય અણધારી રીતે કામ કરવાનું બંધ કરે છે, ત્યારે હૃદયમાં વિદ્યુત વિક્ષેપ થઈ શકે છે, જે કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી શકે છે. છાતીમાં દુખાવો એ પણ કાર્ડિયાક અરેસ્ટનું સામાન્ય લક્ષણ છે. કાર્ડિયાક અરેસ્ટથી શરીરમાં ગમે ત્યાં દુખાવો થઈ શકે છે. આ દુખાવો આગળ, ડાબા અથવા જમણા ખભા, ડાબા હાથ, જમણા હાથ, પેટની ઉપર, જડબા, ગરદન, પાછળના બે ખભાના બ્લેડ વચ્ચે અથવા રામરામથી નાભિ સુધી ગમે ત્યાં થઈ શકે છે.
ડૉ. ઝાકિયા ખાન, વરિષ્ઠ સલાહકાર-ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, ફોર્ટિસ હોસ્પિટલ, કલ્યાણ, કહે છે કે મોટાભાગના કાર્ડિયાક સંબંધિત કેસોમાં, સમસ્યાઓ હળવા પીડા અથવા અસ્વસ્થતાથી શરૂ થાય છે. જ્યારે છાતીમાં દુખાવો અને પીઠનો દુખાવો એ હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે.
આ પણ વાંચો: સુરતના પાલ વિસ્તારમાં ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર, પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી
જો શરીરમાં લક્ષણો દેખાય તો શું કરવું?
જો કોઈ વ્યક્તિ હૃદયરોગના હુમલાના લક્ષણો અનુભવે છે, તો તરત જ ડૉક્ટરને જુઓ. છાતીમાં દુખાવો અને કમરનો દુખાવો હાર્ટ એટેકના મુખ્ય કારણો છે. તમારા હૃદયની સ્થિતિ જાણવા માટે, તરત જ ECG, ECHO, TMT કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us