/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Gopal-Italia-1.jpg)
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા (તસવીર - ગોપાલ ઇટાલિયા ટ્વિટર)
AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાની ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફોજદારી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ પર પ્રતિક્રિયા આપતા, AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપનો હેતુ "આમ આદમી પાર્ટીને સમાપ્ત કરવાનો" છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની સુરત વિંગ દ્વારા થોડા દિવસો પહેલા ઈટાલિયાને નોટિસ આપવામાં આવી હતી અને સોમવારે બપોરે ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ગુજરાત AAPના પૂર્વ પ્રમુખ અને અને પક્ષના નેતાઓ અને કાર્યકરોને જાણ કર્યા પછી એકલા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે ગયા હતા. ડિસેમ્બર 2022 માં નોંધાયેલા કેસમાં તેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા અધિકારીઓએ તેમનું નિવેદન લીધું હતું.
गुजरात में आम आदमी पार्टी के शानदार प्रदर्शन से बीजेपी इस कदर बौखलाई है कि अब हमारे गुजरात के नेता गोपाल इटालिया को गिरफ़्तार कर लिया है। बीजेपी का अब बस एक मक़सद है किस तरह आम आदमी पार्टी को ख़त्म किया जाए। एक एक करके सबको जेल में डालेंगे ये लोग।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 17, 2023
જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચના ટોચના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "અમે હાલમાં એક પેન્ડિંગ કેસમાં ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે અને તેની સત્તાવાર રીતે ધરપકડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે."
આ પણ વાંચો - ગુજરાતમાં કતલખાના: … અને વિવાદનું હાડકું, માંસ વેપારીઓ કન્ફ્યુઝ
તરત જ AAPના વડા કેજરીવાલે ટ્વિટર પર કહ્યું હતું કે, "ભાજપ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનથી એટલી નારાજ છે કે, તેણે હવે અમારા ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી છે. હવે ભાજપનો એક જ ઉદ્દેશ્ય છે કે, આમ આદમી પાર્ટીને કેવી રીતે ખતમ કરવી. આ લોકો એક પછી એક બધાને જેલમાં નાખશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us