અજમેર ટ્રિપલ મર્ડર કેસના 3 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

Ahmedabad Crime News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે રાજસ્થાનના અજમેરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસના સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

Written by Rakesh Parmar
August 27, 2025 14:57 IST
અજમેર ટ્રિપલ મર્ડર કેસના 3 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા
અજમેર ટ્રિપલ મર્ડર કેસના સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ. (તસવીર: @GujaratPolice/X)

Ahmedabad Crime News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે રાજસ્થાનના અજમેરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસના સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. હત્યા બાદ આરોપી ધરપકડથી બચવા માટે અજમેરથી ભાગી ગયા હતા. બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વોન્ટેડ લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ સલમાન અબ્દુલઅલી કુરેશી (29 વર્ષ), અલ્લારખા અબ્દુલઅલી કુરેશી (25 વર્ષ) અને અવેશ અબ્દુલઅલી કુરેશી (20 વર્ષ) તરીકે થઈ છે. આ બધા અજમેરના દિગ્ગી બજારના શૌર્યવાન મોહલ્લાના રહેવાસી છે. બાદમાં ત્રણેયને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે રામગંજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

15 જુલાઈના રોજ હિંસક અથડામણ થઈ હતી

માહિતી મુજબ 15 જુલાઈના રોજ રામગંજ પોલીસ સ્ટેશન હેઠળના ખાનપુરામાં મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પાકીઝા મીટ શોપમાં જૂની દુશ્મનાવટને કારણે આ વિવાદ શરૂ થયો હોવાનું કહેવાય છે. બંને પક્ષોએ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હરીફ જૂથો વચ્ચેની જૂની અદાવતને કારણે આ હત્યાઓ થઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ