અમદાવાદ પોલીસનું જાહેરનામું, IPL-2025 મેચ દરમિયાન શહેરના આ રોડ-રસ્તાઓ બંધ રહેશે

અમદાવાદમાં IPL-2025 માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. IPL-2025 ની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ અંતર્ગત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં IPL-2025 માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. IPL-2025 ની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ અંતર્ગત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ahmedabad narendra modi stadium, અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદમાં IPL-2025 માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. IPL-2025 ની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ અંતર્ગત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ખરેખરમાં IPL-2025 દરમિયાન શહેરના ઘણા રોડ-રસ્તા બંધ રહેશે. શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આ સંદર્ભમાં નોટિસ જારી કરી છે. જીએસ મલિકે માહિતી આપી છે કે આઈપીએલ-2025 દરમિયાન અમદાવાદમાં ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.

Advertisment

આ મેચોમાં મોટી સંખ્યામાં VVIP, દર્શકો, ખેલાડીઓ અને લગભગ 45 સેલિબ્રિટીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. વાહનોની સુગમ અવરજવર સુનિશ્ચિત કરવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે, મેચના દિવસોમાં ટ્રાફિક નિયંત્રણો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. સરકારી વાહનો, ફરજ પરના ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ અને ક્રિકેટ મેચ સાથે સંકળાયેલા વાહનોને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, જાણો આગામી 3 દિવસ હવામાન કેવું રહેશે?

મેચ દરમિયાન ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન

અધિકારીઓએ જણાવ્યું હતું કે જનપથ ટી જંકશન અને સ્ટેડિયમ મેઇન ગેટ વચ્ચે અને કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ ટી જંકશન સુધી ટ્રાફિક પ્રતિબંધિત રહેશે. આ સાથે અધિકારીઓએ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે. આમાં તપોવન સર્કલથી ONGC સ્ક્વેર અને ત્યાંથી વિસત ટી જંકશન, જનપથ ટી જંકશનથી પાવરહાઉસ સ્ક્વેર અને પ્રબોધ રાવલ સર્કલ સુધીનો રૂટ શામેલ છે. બીજો રસ્તો કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ સ્ક્વેર થઈને કોટેશ્વર રોડ અને એપોલો સર્કલ સુધી પહોંચવાનો છે.

Advertisment

ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનારાઓ પર BNS 2023 ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જોઈન્ટ/એડિશિયલ કમિશનરથી લઈને કોન્સ્ટેબલ રેન્ક સુધીના તમામ પોલીસ અધિકારીઓને આ આદેશનો અમલ કરવાનો અધિકાર છે.

આઈપીએલ 2025 ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત