અમદાવાદના શાહપુરમાં આગ: એક જ પરિવારના ત્રણના કરૂણ મોત

Ahmedabad Shahpur Fire : અમદાવાદના શાહપુર વિસ્તારમાં વહેલી સવારે આગ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત, ઘર પણ બળીને ખાખ. જુઓ પોલીસ અને ફાયર વિભાગે શું કહ્યું.

Ahmedabad Shahpur Fire : અમદાવાદના શાહપુર વિસ્તારમાં વહેલી સવારે આગ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત, ઘર પણ બળીને ખાખ. જુઓ પોલીસ અને ફાયર વિભાગે શું કહ્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

અમદાવાદ શાહપુરમાં આગ - ત્રણના મોત (ફોટો - Express photo by Nirmal Harindran)

અમદાવાદના શાહપુર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કારણ કે પોલીસે તેની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને બોલાવી હતી.

Advertisment

મૃતકોની ઓળખ જયેશ વાઘેલા (40), તેની પત્ની હંસા (35) અને પુત્ર રેહાન (8) તરીકે થઈ છે. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જયેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો અને તેને ઘર ફાળવવામાં આવ્યું હતું.

“આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હોવી જોઈએ, શાહપુરના ફાયર સ્ટેશનને સવારે 5:15 વાગ્યે બોલાવવામાં આવ્યું હતું. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવી રહી હતી ત્યારે નજીકમાં રહેતા કોઈએ તેમને જાણ કરી હતી કે, ઘરના ત્રણ લોકો ઘરની બહાર આવ્યા નથી. પછી અમે ઘરના પહેલા માળે ગયા જ્યાં આગ લાગી હતી, અને બેડરૂમના દરવાજાની પાછળ જ ત્રણ મૃતદેહ મળ્ળી આવ્યા હતા.'

જાડેજાએ કહ્યું, “ત્રણેય ધુમાડા અને ગરમીને કારણે બેહોશ થઈ ગયા હશે અને પછી આગમાં મૃત્યુ પામ્યા હશે. બંને મોટા થર્ડ ડીગ્રી બળી ગયા હતા અને બાળકનું શરીર સળગી ગયેલું મળી આવ્યું હતું. આખો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો.”

Advertisment

માધવપુરા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી જી.આર. ગઢવીએ જણાવ્યું કે, અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રૂમમાં શોર્ટ સર્કિટ થયું હશે. એફએસએલની ટીમ હજુ તપાસ માટે આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. બિલ્ડિંગમાં બે માળ છે. પરિવારના અન્ય બે સભ્યો ગ્રાઉન્ડ ફ્લોર અને બીજા માળે રહેતા હતા. સવારે લગભગ 5 વાગ્યે તેઓ ચીસો સાંભળીને જાગી ગયા હતા.

આ પણ વાંચો - ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સપ્લાય જહાજ ડૂબ્યું, કોસ્ટ ગાર્ડે ચાલક સહિત 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા

શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં આગની આ બીજી ઘટના છે. 31મી ડિસેમ્બરના રોજ નારણપુરા વિસ્તારમાં એક આંખ કેન્દ્રમાં આગ લાગતા કેરટેકર દંપતીનું મોત થયું હતું.

ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત