અજય માકને AAP પર પ્રહાર કર્યા, તો એક જ દિવસ બાદ કોંગ્રેસે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલામાં એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ

અજય માકને (Ajay Maken) AAP પર પ્રહાર કર્યા, તો એક જ દિવસ બાદ કોંગ્રેસે (Congress) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સમર્થન આપતુ નિવેદન કરી શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું, ભાજપ (BJP) સરકાર દ્વારા તપાસ એજન્સીઓના દુરુપયોગનો આ વધુ એક મામલો.

અજય માકને (Ajay Maken) AAP પર પ્રહાર કર્યા, તો એક જ દિવસ બાદ કોંગ્રેસે (Congress) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સમર્થન આપતુ નિવેદન કરી શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું, ભાજપ (BJP) સરકાર દ્વારા તપાસ એજન્સીઓના દુરુપયોગનો આ વધુ એક મામલો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
shaktisinh gohil

દિલ્હીના AICC પ્રભારી શક્તિસિંહ ગોહિલ

રાજકારણમાં એક મહિનામાં ઘણું બદલાઈ શકે છે. દિલ્હીની આબકારી નીતિ મામલે અરવિંદ કેજરીવાલ સરકાર સામેના આરોપો ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ, એમ કોંગ્રેસે એક મહિના પહેલા જ કહ્યું હતું. પરંતુ હવે પાર્ટીએ મંગળવારે આ કેસને વિરોધ પક્ષો સામે ભાજપ સરકાર દ્વારા તપાસ એજન્સીઓના દુરુપયોગના વધુ એક ઉદાહરણ તરીકે જોયો.

Advertisment

બંને પક્ષો, જેઓ તાજેતરમાં અત્યાર સુધી સામસામે હતા, હવે વિપક્ષી એકતા પ્રોજેક્ટમાં ભાગીદાર છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી હતી, જ્યારે તેમને CBI દ્વારા એક્સાઇઝ પોલિસી મામલે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. ખડગેએ કેજરીવાલ સાથે એકતા દર્શાવી હતી. જો કે, AAP પ્રત્યેના તેના અભિગમને લઈને કોંગ્રેસની અંદર મતભેદો સપાટી પર આવ્યા અને આ મામલો ટૂંક સમયમાં સામે આવ્યો, જ્યારે વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું કે, કેજરીવાલને કોઈ સહાનુભૂતિ અથવા સમર્થન દર્શાવવું જોઈએ નહીં.

આજે, દિલ્હીના AICC પ્રભારી શક્તિસિંહ ગોહિલે આ કેસને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના વધુ એક ઉદાહરણ તરીકે જોવાનું પસંદ કર્યું.

Advertisment

માકન અને પંજાબના વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા દ્વારા કેજરીવાલ પરના હુમલાઓ વિશે પૂછવામાં આવતા ગોહિલે કહ્યું હતું કે, અમારી લોકલ ક્યાંક ને ક્યાંક ચાલે છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે… અમે ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરતા નથી…અમે સરકારમાં હતા ત્યારે પણ…2જી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી…પરંતુ ભાજપે તેની જેપીસી માંગણી કરી હતી. સુપ્રીમ છતા કોર્ટ દ્વારા કમિટી બનાવવામાં આવી. યુપીએ સરકારે મંજૂરી આપી હતી. શું મોદી અદાણી કેસમાં જેપીસી માટે સંમત થયા છે.'

“અહીં કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ માત્ર વિપક્ષી પક્ષો સામે જ છે. અમે કેન્દ્રીય એજન્સીઓનો જ્યાં પણ દુરુપયોગનો થયો છે ત્યાં વિરોધ કરતા આવ્યા છીએ. દિલ્હીના પ્રભારી તરીકે મેં દિલ્હીના નેતાઓને કહ્યું છે કે, અમે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે લડી રહ્યા છીએ, અને અમે લડતા રહીશું… જ્યાં પણ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને હેરાન કરવામાં આવશે, અમે તે વિરોધ સામે લડીશું. નેતાની પડખે ઊભા રહીશું," તેમણે એઆઈસીસી મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું.

માકનની ટિપ્પણી અંગે પૂછવામાં આવતા ગોહિલે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને તેને માકનનો અંગત અભિપ્રાય ગણાવ્યો. તેમણે કહ્યું કે, "મેં તમને અમારી પાર્ટીની રાષ્ટ્રીય લાઇન કહી દીધી છે," તેમણે ઉમેર્યું હતું કે, જો કોર્ટમાં કેસ સાબિત થાય છે તો મામલો અલગ છે. "આજની સ્થિતિમાં…તે સ્પષ્ટ છે કે, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ વિરોધ પક્ષોને તોડવા માટે કરવામાં આવી રહ્યો છે."

કોંગ્રેસે એક મહિના પહેલા આ જ મંચ પરથી દાવો કર્યો હતો કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે આરોપો ગંભીર છે.

આ પણ વાંચો - આઈડિયા એક્સચેન્જમાં મલ્લિકાર્જુન ખડગે: ‘જે લોકો કોંગ્રેસને સમર્થન આપવા માગે છે તેઓ ડરે છે, અમે ડરવાના નથી, અમે સત્ય માટે લડીશું’

તે સમયે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, પાર્ટીના ડિજિટલ મીડિયા વડા સુપ્રિયા શ્રીનાતે કહ્યું હતું: “અમારું વલણ સ્પષ્ટ છે. આરોપો ગંભીર છે. અમે મૂળ ફરિયાદી છીએ. વધુ તપાસ થવી જોઈએ. એ જ શ્વાસ સાથે અમે કોઈ શંકા વિના કહી શકીએ છીએ કે, મોટાભાગના કિસ્સાઓમાં તમે તમારી એજન્સીઓનો ઉપયોગ વિપક્ષ સામે કરી રહ્યા છો.

congress Express Exclusive અરવિંદ કેજરીવાલ આપ ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ ભાજપ