અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે, ટ્વીટ કરીને કહ્યું- ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ

AAP Gujarat: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે.

Written by Rakesh Parmar
July 22, 2025 21:12 IST
અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે, ટ્વીટ કરીને કહ્યું- ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. (તસવીર: X)

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. 23 અને 24 જુલાઈના રોજ બંને નેતાઓ મોડાસા અને ડેડિયાપાડામાં મોટી રેલીઓને સંબોધિત કરશે.

મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે ગુજરાતમાં દૂધના વાજબી ભાવની માંગ કરી રહેલા ખેડૂતો અને પશુપાલકો પર લાઠીચાર્જ કર્યો. એક ખેડૂતનું મોત થયું. ભારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. હું અને ભગવંત માનજી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છીએ. અમે મોડાસા અને ડેડિયા પાડામાં ગુજરાતના લોકોની તરફેણમાં રેલીમાં જોડાઈશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ