/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/kejriwal-speech-in-gujarat.jpg)
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. (તસવીર: X)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. 23 અને 24 જુલાઈના રોજ બંને નેતાઓ મોડાસા અને ડેડિયાપાડામાં મોટી રેલીઓને સંબોધિત કરશે.
મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે.
गुजरात में अपने दूध के उचित दाम माँग रहे किसान पशुपालकों के प्रदर्शन पर बीजेपी सरकार ने लाठी चार्ज कर दिया। एक किसान की मौत हो गई।
घोर भ्रष्टाचार के ख़िलाफ़ आवाज़ उठाने पर आम आदमी पार्टी के नेता चैतर वसावा को गिरफ़्तार कर लिया।
30 साल शासन करने के बाद आज गुजरात में बीजेपी का…— Arvind Kejriwal (@ArvindKejriwal) July 22, 2025
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે ગુજરાતમાં દૂધના વાજબી ભાવની માંગ કરી રહેલા ખેડૂતો અને પશુપાલકો પર લાઠીચાર્જ કર્યો. એક ખેડૂતનું મોત થયું. ભારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. હું અને ભગવંત માનજી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છીએ. અમે મોડાસા અને ડેડિયા પાડામાં ગુજરાતના લોકોની તરફેણમાં રેલીમાં જોડાઈશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us