આસારામની હાલત ખરાબ, ટેકા વગર ચાવલું મુશ્કેલ, સિવિલ હોસ્પિટલની બહાર ભીડ એકઠી થઈ

બળાત્કાર કેસમાં દોષિત આસારામને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.

બળાત્કાર કેસમાં દોષિત આસારામને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Asaram, rape case, Ahmedabad's Asarwa Civil Hospital

આસારામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.

બળાત્કાર કેસમાં દોષિત આસારામને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમના માટે VVIP સ્તરની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આસારામને સુરક્ષા કવચ સાથે હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યા હતા.

Advertisment

સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

હોસ્પિટલ પ્રશાસને તેમના માટે નવી વ્હીલચેર અને નવી બેડશીટની પણ વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલના સ્ટાફને લગભગ બે કલાક સુધી ગેટ પર ઉભા રહેવાની ફરજ પડી હતી, જેના કારણે સામાન્ય દર્દીઓને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. સામાન્ય દર્દીઓને ધક્કામુક્કી થતી જોવા મળી હતી, પરંતુ આસારામને ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગોના ડોકટરોને એક જ જગ્યાએ બોલાવીને તપાસ કરવામાં આવી હતી અને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ અંગે સામાન્ય દર્દીઓમાં ઘણો રોષ જોવા મળ્યો હતો.

Asaram bail, આસારામ
આસારામને સુરક્ષા કવચ સાથે હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યા હતા.

આસારામે જામીન લંબાવવાની માંગ કરી હતી

ગુજરાત અને રાજસ્થાન હાઈકોર્ટે આસારામની ગંભીર હાલતને કારણે તેમના વચગાળાના જામીન લંબાવ્યા છે. 8 ઓગસ્ટના રોજ સુનાવણી બાદ રાજસ્થાન હાઈકોર્ટે તેમના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે સુરતના 7 કેસમાં તેમના જામીન લંબાવ્યા હતા. આસારામે તબીબી કારણોસર જામીન લંબાવવાની માંગ કરી હતી. તેમણે હોસ્પિટલ અને ડોકટરો પાસેથી પ્રમાણપત્રો પણ રજૂ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન ત્રીજી વખત લંબાવ્યા છે અને આ કેસમાં વધુ સુનાવણી 21 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

અમદાવાદ ગુજરાત