ભરૂચની દુષ્કર્મ પીડિત બાળકીનું 8 દિવસ બાદ મોત, હોસ્પિટલમાં બે વખત આવ્યો હાર્ટ એટેક

Gujarat Nirbhaya Case : ગુજરાતના ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાંથી અપહરણ બાદ બળાત્કારનો ભોગ બનેલી 10 વર્ષની માસૂમ બાળકીનું સોમવારે સાંજે વડોદરાની સરકારી હોસ્પિટલમાં એક સપ્તાહ સુધી જીવનની લડાઈ લડ્યા બાદ મૃત્યુ થયું હતું.

Written by Rakesh Parmar
December 24, 2024 15:29 IST
ભરૂચની દુષ્કર્મ પીડિત બાળકીનું 8 દિવસ બાદ મોત, હોસ્પિટલમાં બે વખત આવ્યો હાર્ટ એટેક
ભરૂચ દુષ્કર્મ પીડિત બાળકીનું 23 ડિસેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. (Indian Express File Photo)

Gujarat Nirbhaya Case: ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ તાજા કરાવી દીધી હતી. ઝઘડિયામાં 10 વર્ષની માસુમ બાળકી પર 16 ડિસેમ્બર, 2024ના રોજ એક નરાધમે દુષ્મર્મ આચર્યું હતું અને ગંભીર રીતે આંતરિક ઈજાઓ પહોંચાડી હતી. જોકે આ બાળકીએ આંઠ દિવસ સુધી રિબાઈ રિબાઈને હોસ્પિટલમાં કાઢ્યા હતા અને ગઈકાલે રાત્રીના સમયે આ માસુમ બાળાએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ બાળકીનું 23 ડિસેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું.

ગુજરાતના ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાંથી અપહરણ બાદ બળાત્કારનો ભોગ બનેલી 10 વર્ષની માસૂમ બાળકીનું સોમવારે સાંજે વડોદરાની સરકારી હોસ્પિટલમાં એક સપ્તાહ સુધી જીવનની લડાઈ લડ્યા બાદ મૃત્યુ થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે બળાત્કારમાં પીડિતાને ગંભીર આંતરિક ઇજાઓ થઈ હતી, જેના પગલે તેણીને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીને 2 વખત હાર્ટ એટેક આવ્યો

SSG હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, “બાળકીને બપોરે 2 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો, જે પછી તેની હાલત વધુ બગડી હતી. જો કે સારવાર બાદ તેમની તબિયત સ્થિર બની હતી, પરંતુ સાંજે 5:15 વાગ્યે તેમને બીજો હાર્ટ એટેક આવ્યો હતો. ડોકટરોએ તેણીને તાત્કાલિક સારવાર આપી હતી પરંતુ સાંજે 6:15 વાગ્યે તેણીને મૃત જાહેર કરવામાં આવી.’ તેમણે જણાવ્યું હતું કે સગીર છોકરીની સ્થિતિ બગડી હતી જ્યારે તેના શરીરમાં સેપ્સિસ (ચેપ અથવા ઇજાને કારણે જીવલેણ પ્રતિક્રિયા) વિકસિત થવાનું શરૂ થયું હતું જેના કારણે તેના અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને હાર્ટ એટેક આવે છે.

રાત્રિના બે વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમ બાળકીના પાર્થિવદેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ડો. બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરાઈ, દલિત આગેવાનોનું અલ્ટિમેટમ

પોલીસના જણાવ્યા અનુસાર, ગત સોમવારે (16 ડિસેમ્બર) બાળકી તેના ઘર પાસે રમી રહી હતી ત્યારે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા કર્મચારીએ તેનું અપહરણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે તે તેને નજીકની ઝાડીઓમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ પછી આરોપી બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં જ છોડીને ભાગી ગયો હતો.

ઝારખંડના રહેવાસી આરોપીની ધરપકડ

કેસના એક દિવસ બાદ પોલીસે ઝારખંડના રહેવાસી 36 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. ઝારખંડમાં હેમંત સોરેન સરકારમાં મંત્રી એવા કોંગ્રેસના નેતા દીપિકા પાંડેય સિંહના નેતૃત્વમાં ત્રણ સભ્યોના પ્રતિનિધિમંડળે ગયા અઠવાડિયે વડોદરાની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિતા અને તેના પરિવારને મળ્યા હતા. તેમણે પરપ્રાંતિય મજૂરોને લઈને ગુજરાત સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. ગુજરાતના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋુષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ બળાત્કાર જેવા ગંભીર ગુનાનું રાજકારણ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ