/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-Secondary-and-Higher-Secondary-Education-Board.jpg)
ગુજરાત રાજ્ય શાળ પાઠ્યપુસ્તક બોર્ડે સિલેબસમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)
Gandhinagar News: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓ જે પુસ્તકોનો અભ્યાસ કરશે, તે આગામી વર્ષથી ઉપીયોગમાં નહીં આવે. એવું એટલા માટે કે આગામી એકેડમીક વર્ષથી પાઠ્ય પુસ્તકો બદલાઈ જશે. ધોરણ 1, 6 થી 8 અને 12 ના પુસ્તકોમાં ફેરબદલ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળ પાઠ્યપુસ્તક બોર્ડે સિલેબસમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્ય સ્કૂલ પાઠ્યપુસ્તક બોર્ડ, ગાંધીનગરે એક પ્રેસ જાહેરાતમાં કહ્યું છે કે, નીચે ઉલ્લેખિત પાઠ્યપુસ્તકો આગામી એકેડમિક વર્ષ 2025-26 માટે નવું સંશોધન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યભરની શાળાઓમાં તે અનુસાર અભ્યાસ કરાવવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gandhinagar.jpg)
કઈ પુસ્તકો બદલાઈ જશે
- ધોરણ 1 માં ગુજરાતી વિષયની પુસ્તકો અને ધોરણ 6 માં અંગ્રેજી વિષયની પુસ્તકો બદલાઈ જશે.
- ધોરણ 7ની સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત અને મરાઠીની પુસ્તકો બદલાઈ જશે.
- ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનની પુસ્તકો બદલાઈ જશે.
- ધોરણ 12ની અર્થશાસ્ત્રની ચોપડીમાં નવા અધ્યાયો જોડવામાં આવશે.
પાઠ્યપુસ્તક બોર્ડે જૂન 2025-26 માં આવનારી પુસ્તકોના લિસ્ટની ઘોષણા કરી છે, જેમાં ધોરણ 6માં અંગ્રેજી માધ્યમ, બીજી ભાષા તરીકે અંગ્રેજીનો છોડીને તમામ પુસ્તકો બદલાઈ જશે. આઠમાં ધોરણમાં પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમની પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં હશે. ધોરણ 1 માં પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતીને છોડીને તમામ માધ્યમોમાં પુસ્તક બદલાઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us