આ ગુજરાતી વેપારીએ આખા ગામના ખેડૂતોનું દેવું ચૂકવી દીધું, માતાની અંતિમ ઈચ્છા કરી પૂર્ણ

બાબુભાઈ જીરાવાલાએ જણાવ્યું કે 1995 થી તેમના ગામમાં જીરા સેવા સહકારી મંડળીને લઈને એક મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ સમિતિના તત્કાલીન વહીવટકર્તાઓએ ખેડૂતોના નામે છેતરપિંડીથી લોન લીધી હતી.

બાબુભાઈ જીરાવાલાએ જણાવ્યું કે 1995 થી તેમના ગામમાં જીરા સેવા સહકારી મંડળીને લઈને એક મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ સમિતિના તત્કાલીન વહીવટકર્તાઓએ ખેડૂતોના નામે છેતરપિંડીથી લોન લીધી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
mother's death anniversary, farmers' loan paid

જીરા ગામના ખેડૂતોને દેવામુક્ત કરનાર બાબુભાઈ જીરાવાળાનું અભિવાદન. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના અમરેલી જિલ્લાના એક ઉદ્યોગપતિએ પોતાના આખા ગામને દેવામાંથી મુક્ત કરાવ્યું છે. સાવરકુંડલા તાલુકાના જીરા ગામના રહેવાસી બાબુભાઈ જીરાવાલાએ તેમની માતાની પુણ્યતિથિ પર ગામના 290 ખેડૂતોના છેલ્લા 30 વર્ષથી દેવા ચૂકવી દીધા હતા. તેમણે 90 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમની મદદને કારણે ગામના બધા ખેડૂતો દેવામુક્ત થયા છે.

Advertisment

બેંક લોનનો કેસ 1995 થી પેન્ડિંગ હતી

બાબુભાઈ જીરાવાલાએ જણાવ્યું કે 1995 થી તેમના ગામમાં જીરા સેવા સહકારી મંડળીને લઈને એક મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ સમિતિના તત્કાલીન વહીવટકર્તાઓએ ખેડૂતોના નામે છેતરપિંડીથી લોન લીધી હતી. આટલા વર્ષોમાં દેવું ઘણુ વધી ગયું હતું.

Amreli farmer, Babubhai Jirawala
જીરા ગામ પરિવાર દ્વારા નિર્મિત “સંતોકબા ભવન”ના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત ગ્રામજનો. (તસવીર: સોશિયલ મીડિયા)

જેના કારણે ખેડૂતો સરકારી સહાય, લોન અને અન્ય લાભોથી વંચિત હતા. બેંકો ગામના ખેડૂતોને લોન આપતી ના હતી. લોનનો અભાવ મુશ્કેલીનું કારણ બની રહ્યો હતો. દેવાને કારણે જમીનનું પણ વિભાજન થઈ શક્યું ન હતું. તેથી મારી માતા ગામના ખેડૂતોનું દેવું ચૂકવવા માટે પોતાના દાગીના વેચીને ખેડૂતોનું દેવું ચુક્તે કરવા માંગતી હતી.

Advertisment

ખેડૂતો પર 90 લાખ રૂપિયા દેવું હતું

બાબુભાઈ જીરાવાલાએ જણાવ્યું કે હું અને મારો ભાઈ બેંક અધિકારીઓને મળ્યા અને અમારી ઇચ્છા વ્યક્ત કરી હતી, અને બેંક અધિકારીઓએ નો-ડ્યુ પ્રમાણપત્રો આપવામાં સહકાર આપ્યો હતો. ગામના ખેડૂતો પર કુલ ₹89,89,209 લાખનું દેવું હતું. અમે તે દેવું ચૂકવી દીધું અને બેંકમાંથી ખેડૂતોના નામે નો-ડ્યુ પ્રમાણપત્રો મેળવ્યા અને તે બધા ખેડૂતોને આપ્યા હતા. હું અને મારો પરિવાર ખુશ છીએ કે અમે મારી માતાની ઇચ્છા પૂરી કરી અને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી.

આ પણ વાંચો: “I Love You” બોલીને આરોપીને દબોચ્યો, સુરતની મહિલા PSI ગજબનો પ્લાન બનાવી ફ્રોડને પકડી પાડ્યો

ખેડૂતો માટે નવા જીવનની શરૂઆત

જ્યારે 299 ખેડૂતોને તેમના 'નો-ડ્યુ પ્રમાણપત્રો' આપવામાં આવ્યા ત્યારે જીરા ગામનું વાતાવરણ ભાવુક થઈ ગયું. ખેડૂતોની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા, જેનાથી તેઓ સદીઓ જૂના બોજથી મુક્ત થયા. ખેડૂતોએ જીરાભાઈને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્ય સાબિત કરે છે કે જ્યારે સંપત્તિનો ઉપયોગ માનવતા માટે થાય છે, ત્યારે તેનું મૂલ્ય અબજો રૂપિયાથી પણ વધી જાય છે. બાબુભાઈએ તેમની માતાની પુણ્યતિથિને જીરા ગામના 290 પરિવારો માટે નવા જીવનની શરૂઆતના દિવસમાં ફેરવી દીધી.

અમરેલી ખેડૂત ગુજરાતી ન્યૂઝ ગુજરાત