બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી આવશે અમદાવાદ, દરબાર લાગશે કે કેમ?

Dhirendra Shastri visit ahmedabad : બાગેશ્વર ધામ સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. સનાતન ધર્મ સભા, દરબારમાં ચમત્કારો અને વિવાદાસ્પદ નિવેદનોથી ધિરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે.

Dhirendra Shastri visit ahmedabad : બાગેશ્વર ધામ સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. સનાતન ધર્મ સભા, દરબારમાં ચમત્કારો અને વિવાદાસ્પદ નિવેદનોથી ધિરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dhirendra shastri bageshwar dham sarkar

બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મ સભા અને દરબારમાં ચમત્કારોને લઇને ઘણા ચર્ચામાં રહે છે. (ફોટો - ફેસબુક)

બાગેશ્વર ધામ સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રી આગામી મહિને અમદાવાદમાંં આવી રહ્યા છે. સનાતન ધર્મના પ્રવચન અને દરબારમાં ચમત્કાર કરવાના દાવાથી દેશભરમાં ધિરેન્દ્ર શાસ્ત્રી ઘણા પ્રખ્યાત થયા છે. ધિરેન્દ્ર શાસ્ત્રીએ દરબારમાં ચમત્કાર અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિવાદનો સામનો પણ કરવો પડ્યો છે. ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે શું અહીંયા 'દરબાર' યોજશે કે કેમ તેને લઇને અટકળો તેજ થઇ ગઇ છે.

Advertisment

ધિરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદ આવશે

ધિરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદમાં 17થી 25 મે, 2023 દરમિયાન યોજાઇ રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં શ્રી શિવમહાપુરાણ કથામાં સામેલ થવા માટે આવી રહ્યા છે. આ અંગે વિતગવાર માહિતી આપતા શિવકૃપા મિત્ર મંડળના પ્રમુખ કમલાકર સિંહે જણાવ્યું કે, ''અમદાવાદમાં વટવા ખાતે 17 મેથી 25 મે, 2023 દરમિયાન શ્રી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમના પૂર્ણાહુતિના છેલ્લા દિવસ 25 મે, 2023ના રોજ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવી રહ્યા છે. જો કે આ દિવસે ધિરેન્દ્ર શાસ્ત્રી સનાતન સભા કરશે કે દરબારનું આયોજન થશે તે અંગે હાલ કોઇ વિગત પ્રાપ્ત થઇ નથી.'' અત્રે ઉલ્લેખનીય છે કે, આ શિવમહાપુરાણ કથાના વાચક દેવકી નંદન ઠાકુર છે.

Dhirendra Shastri
ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમા જે કાર્યક્રમમાં સામેલ થવા આવી રહ્યા છે તેનું પોસ્ટર.

આ પણ વાંચોઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કમાણી કેટલી છે? ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Advertisment

કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધિરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ, 1996માં મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગડા પંજ ગામમાં એક બાહ્મણ કુટુંબમાં થયો છે. તેમના પિતાનું નામ રામ કૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. તેમને નાનપણથી ધર્મ-ભક્તિ પ્રત્યે વધારે લગાવ હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સનાતન ધર્મના પ્રચારક અને કથા વાયક છે. ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું તેમના ગામ ગડા પંજ ખાતે આવેલા હનુમાન મંદિર બાગેશ્વર ધામમાં આયોજન કરવામાં આવે છે. તેણે ચમત્કારો, અલૌકિક શક્તિથી લોકોની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કર્યો છે અને તેની સામે ઘણો વિવાદ પણ થયો છે.

bageshwar dham sarkar અમદાવાદ ગુજરાત ધર્મ ભક્તિ