Vijay Rupani: ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનો DNA મેચ થયો, પરિવારને સોંપાયો મૃતદેહ

ex-Gujarat CM Vijay Rupani DNA: રવિવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે. આ પછી તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

ex-Gujarat CM Vijay Rupani DNA: રવિવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે. આ પછી તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Vijay Rupani, ex-Gujarat CM Vijay Rupani DNA

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Image: X/Vijay Rupani)

Ahmedabad Plane Crash: અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના ડીએનએ મેચ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રવિવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે. આ પછી તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 241 મુસાફરોમાં વિજય રૂપાણી પણ હતા.

Advertisment

રૂપાણી તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. અકસ્માત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યા હતા. આ વિમાન દુર્ઘટના મેઘાણી નગર વિસ્તારમાં બની હતી. વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. ઘણા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા અને તેમની ઓળખ થઈ શકી ન હોવાથી અધિકારીઓ અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરી રહ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે અધિકારીઓએ અત્યાર સુધીમાં ડીએનએ પરીક્ષણ દ્વારા 32 પીડિતોની ઓળખ કરી છે અને 14 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિજય રૂપાણીનો વાયરલ ફોટો છેલ્લી તસવીર હોવાનો દાવો કેટલો સાચો છે? જાણો હકીકત

Advertisment

એડિશનલ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં 32 ડીએનએ નમૂનાઓ મેચ થયા છે અને 14 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. પીડિતો ઉદયપુર, વડોદરા, ખેડા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને બોટાદ જિલ્લાના હતા."

ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો

અમદાવાદમાં થયેલા આ દુ:ખદ વિમાન દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો. લોકો કહે છે કે વિમાન દુર્ઘટનામાંથી બચી જવું એ ચોક્કસપણે એક ચમત્કાર છે. વિશ્વાસ પોતે કહે છે કે તે કેવી રીતે બચી ગયો તે વિશ્વાસ કરી શકતો નથી.

અમદાવાદ પ્લેન ક્રેશ ગુજરાતી ન્યૂઝ પ્લેન ક્રેશ અમદાવાદ ગુજરાત