Ahmedabad: કળિયુગી બાપે સગીર પુત્રની કરી હત્યા, પાણીમાં 30 ગ્રામ 'સોડિયમ નાઇટ્રેટ' નાંખીને પીવડાવી દીધુ

Ahmedabad Crime News: કલ્પેશ ગોહેલ (47) એ પોતાના પુત્રની હત્યા કર્યા પછી આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી પરંતુ તે કરી શક્યો નીહીં.

Ahmedabad Crime News: કલ્પેશ ગોહેલ (47) એ પોતાના પુત્રની હત્યા કર્યા પછી આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી પરંતુ તે કરી શક્યો નીહીં.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Crime, Ahmedabad Police, Sodium Nitrite,

સગા બાપે દીકરાને મારવા માટે પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ ભેળવ્યું. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad News: અમદાવાદમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રને 'સોડિયમ નાઇટ્રેટ' નામનું ઝેરી પદાર્થ ભેળવેલું પાણી આપીને તેની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. બાપુનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કલ્પેશ ગોહેલ (47) એ પોતાના પુત્રની હત્યા કર્યા પછી આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી પરંતુ તેને અમલમાં મૂકી ન હતી. તેમણે કહ્યું કે મંગળવારે બનેલી ઘટના બાદ ગોહેલની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisment

અધિકારીએ જણાવ્યું હતું કે ગુના પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. આરોપીની પુત્રીના નિવેદનને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે ગોહેલે શરૂઆતમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં તેમના ઘરે ઉલટી બંધ કરવા માટે તેના પુત્ર ઓમ અને 15 વર્ષની પુત્રી જીયાને "દવા" આપી હતી.

દીકરાને મારવા માટે પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ ભેળવ્યું

તેમણે કહ્યું કે આ પછી તેમણે (ગોહેલ) કથિત રીતે તેના પુત્રને સોડિયમ નાઇટ્રેટ મિશ્રિત પાણી આપ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ પોતાના બાળકોને ઝેર આપ્યા બાદ આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી, પરંતુ પોતાના પુત્રની બગડતી હાલત જોઈને તે ગભરાઈ ગયો અને ઘરેથી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે પાણી પીધા પછી તરત જ છોકરાને ઉલટી થવા લાગી અને તેના પરિવારના સભ્યો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ડિપોર્ટેશન માટે મોંઘા સૈન્ય વિમાનનો ઉપયોગ કેમ કરી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ? દુનિયાને આપ્યો સ્પષ્ટ સંદેશ

Advertisment

ગોહેલ તેના બે બાળકો, પત્ની અને માતા-પિતા સાથે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો હતો. એફઆઈઆર મુજબ, તેણે (ગોહેલ) પહેલા તેના બે બાળકોને દવા આપી અને પછી જ્યારે તેની પત્ની બહાર હતી, ત્યારે તેણે તેના પુત્રને ઝેર ભેળવેલું પાણી આપ્યું હતું.

આરોપીએ ગુનો કબૂલ્યો

એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ બાદ આરોપીએ તેના પુત્રને આપવામાં આવેલા પાણીમાં 30 ગ્રામ સોડિયમ નાઈટ્રેઈટ ભેળવવાની કબૂલાત કરી હતી. અધિકારીએ જણાવ્યું કે પિતા પર ભારતીય દંડ સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે.

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ અમદાવાદ ગુજરાત