scorecardresearch

Godhra Riots: ટ્રેન સળગાવવાના કેસમાં આઠ આરોપીઓને જામીન મળ્યા, ચારની અરજી પર વિચાર કરવાનો ઇનકાર

Godhra Riots case : ગોધરા ટ્રેન સળગાવવાનો મામલો (Godhra Train Burning Case), જેમાં 58 કાર સેવકોના મોત થયા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે 8 આરોપીના જામી મંજૂર કર્યા, ચારના નામંજૂર કર્યા.

Godhra Riots case
ગોધરા ટ્રેન સળગાવવાનો મામલો (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસની બોગી સળગાવવાના 8 આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ આઠ કેદીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. આ સિવાય સુપ્રીમ કોર્ટે અન્ય ચારની અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. આવું તેમની હિંસામાં ભૂમિકાને લઈને કરવામાં આવ્યું હતું. ચાર આરોપીઓની અરજી પર જેમની અરજીઓ CJIની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા નકારી કાઢવામાં આવી હતી, બેન્ચે કહ્યું હતું કે, “અમે આ તબક્કે તેમને જામીન આપવા માટે તૈયાર નથી.”

સુનાવણી દરમિયાન, ભારતના સોલિસિટર જનરલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચને કહ્યું કે, મને માત્ર ચાર વ્યક્તિઓ સાથે તેમની ભૂમિકાને કારણે થોડી સમસ્યા છે.

તેમાંથી એક પાસેથી લોખંડની પાઇપ અને બીજા પાસેથી ધારિયા મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. તે સિકલ જેવા હથિયાર માટેનો ગુજરાતી શબ્દ છે. અન્ય એક દોષી ટ્રેનના કોચ સળગાવવા માટે વપરાતા પેટ્રોલની ખરીદી, સંગ્રહ અને વહન કરતો જોવા મળ્યો હતો. છેલ્લા આરોપીએ મુસાફરો પર હુમલો કર્યો હતો, તેમને ઇજા પહોંચાડી અને લૂંટ પણ કરી હતા.

મે 2022માં પ્રથમ વખત જામીન આપવામાં આવ્યા હતા

ગયા વર્ષે 13 મે, 2022 ના રોજ, કોર્ટે દોષિતોમાંથી એક અબ્દુલ રહેમાન ધંતિયાને 6 મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. વાસ્તવમાં અબ્દુલ રહેમાનની પત્ની ટર્મિનલ કેન્સરથી પીડિત હતી અને તેની દીકરીઓ પણ માનસિક રીતે અક્ષમ હતી. આને આધાર ગણીને કોર્ટે અબ્દુલ રહેમાનને 6 મહિના માટે જામીન આપ્યા હતા. 11 નવેમ્બર 2022ના રોજ કોર્ટે જામીનની મુદત 31 માર્ચ 2023 સુધી લંબાવી હતી. આ સિવાય ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ફારૂક નામના એક દોષિતને આ આધાર પર જામીન આપ્યા હતા કે, તેણે 17 વર્ષની જેલની સજા પૂરી કરી હતી અને તેણે ટ્રેન પર માત્ર પથ્થરમારો કર્યો હતો.

આ પણ વાંચોNaroda Gam Massacre Case : નરોડા ગામ હત્યાકાંડ કેસમાં માયા કોડનાની, બાબુ બજરંગી સહિત 69 આરોપીઓ નિર્દોષ

શું છે મામલો?

27 ફેબ્રુઆરી 2022 ના રોજ, ગુજરાતના ગોધરામાં ઉશ્કેરાયેલા ટોળાએ સાબરમતી એક્સપ્રેસના કોચને આગ ચાંપી દીધી હતી. આ હુમલામાં 58 કાર સેવકોના મોત થયા હતા. 2011માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 11ને ફાંસીની સજા, ઉપરાંત 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તો આ કેસમાં 63 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2017માં ગુજરાત હાઈકોર્ટે મૃત્યુદંડની સજા પામેલા 11 લોકોની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.

Web Title: Godhra riots eight accused bail train burning case four denied bail 58 killed

Best of Express