scorecardresearch

ગુજરાત : રાજ્યમાં 2,70,000 થી વધુ શિક્ષિત લોકો બેરોજગાર, 12 હજાર અર્ધ-શિક્ષિત બેરોજગાર

Gujarat unemployed : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બેરોજગારોની સંખ્યાને લઈ કોંગ્રેસ (Congress) દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, આ મામલે વર્તમાન રાજ્ય સરકારે (State Goverment) કહ્યું, ભારતનો બેરોજગારી (India unemployed) દર 4.4 ટકા છે, જ્યારે ગુજરાતનો દર માત્ર 2.2 ટકા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

unemployed in gujarat
ગુજરાત બેરોજગારી દર 2.2 ટકા (ફોટો – પ્રતિકાત્મક)

unemployed in gujarat : ગુજરાત વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી કે, 31 જિલ્લાઓમાં કુલ 2,70,922 શિક્ષિત લોકો બેરોજગાર અને અન્ય 12,218 અર્ધ-શિક્ષિત બેરોજગાર મળી આવ્યા છે.

રાજ્યમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગાર વ્યક્તિઓની કુલ સંખ્યા 2,83,140 છે, એમ ગુજરાત સરકારે ગુરુવારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા તારાંકિત પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

જો કે, પ્રશ્નકાળ દરમિયાન જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં બેરોજગારોની સંખ્યા અંગે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 10,323 અને 4,644 બેરોજગારો છે. રાજ્યમાં, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અનુક્રમે, જૂનાગઢમાં 4,573 અને પોરબંદર જિલ્લામાં 4,051 ખાનગી ક્ષેત્રોમાં નોકરી કરતા હતા.

રાજ્ય સરકાર દ્વારા 31 જિલ્લાના આંકડા દર્શાવે છે કે, 4,70,444 ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા હતા

સૌથી વધુ બેરોજગાર વ્યક્તિઓ વડોદરા જિલ્લામાં (26,507) નોંધાયા છે, ત્યારબાદ આણંદ (18,525), અમદાવાદ (17,896), મહિસાગર (13,539) અને પંચમહાલ જિલ્લામાં (12,289) છે.

રાજપૂતે તેમના જવાબમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આશરે દોઢ લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં 9,626 બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે. તેમના કૌશલ્ય વિકાસ અને આજીવિકા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.”

તેમણે કહ્યું કે, ભારતનો બેરોજગારી દર 4.4 ટકા છે, જ્યારે ગુજરાતનો દર માત્ર 2.2 ટકા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ મુજબ, ગુજરાત સમગ્ર દેશમાં રોજગાર આપવામાં પ્રથમ ક્રમે છે, એમ મંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બેરોજગારોને રોજગારી આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ગ્રાન્ટ પોર્ટલ પર બેરોજગારો નોંધણી કરાવી શકે છે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર સંચાલિત રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા જિલ્લા રોજગાર મેળા અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે, કેટલાક જિલ્લાઓમાં બેરોજગાર વ્યક્તિઓ અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લોકો વચ્ચેની અસમાનતા દર્શાવતી સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

મંત્રીએ એમ કહીને જવાબ આપ્યો કે, તમામ વ્યક્તિઓ રાજ્ય સરકારના રોજગાર વિનિમયમાં નોંધણી કરાવતા નથી, તેથી તફાવત હોઈ શકે છે.

આ પણ વાંચોકચ્છમાં 2.67 લાખ મેટ્રિક ટન ખનીજની ચોરી થઈ : જીગ્નેશ મેવાણી

જો કે, સરકાર તપાસ કરશે કે, હજુ પણ સંખ્યામાં કોઈ તફાવત છે કે કેમ, એમ તેમણે જણાવ્યું હતું.

Web Title: Gujarat 270000 educated people unemployed 12 thousand semi educated unemployed in state

Best of Express