Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઇ પટેલ અને ગરબડાથી મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપી છે.
અર્બુદા સેના દ્વારા હાલમાં જ ચરાડામાં ચૌધરીઓનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પહેલા સરકારની વિરુદ્ધમાં હોવાનો અહેવાલો હતા. જોકે બાદમાં કોઇ રાજનીતિક નિવેદનો કરાયા ન હતા અને ભાજપા સાથે સમાધાન થયું હોવાના દાવો છે. જેથી ભાજપાએ તેના બદલામાં ખેરાલુ પરથી ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટિકિટ કાપવામાં આવી છે. આ સીટ પર ઠાકોરની બહુમતી હોવા છતા ચૌધરી ઉમેદવારને ટિકિટ આપી છે.
જયરાજસિંહ પરમારને ન મળી ટિકિટ
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જયરાજસિંહ પરમાર ખેરાલુ બેઠક પરથી પ્રબળ દાવેદાર હતા. જોકે ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી સરદારસિંહને ઉમેદવાર જાહેર કર્યા જાહેર છે. આ સાથે જ જયરાજસિંહ પરમારના ખેરાલુથી ટિકિટ મેળવવાના સપના અધૂરા રહી ગયા છે.
આ પણ વાંચો – AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, આપ નેતાઓએ ભાજપ પર અપહરણનો લગાવ્યો હતો આરોપ
ભાજપના વધુ 3 ઉમેદવારો જાહેર
ઉમેદવાર | બેઠક |
સરદાર સિંહ ચૌધરી | ખેરાલુ |
જયંતિભાઇ પટેલ | માણસા |
મહેન્દ્રભાઇ ભાભોર | ગરબડા-એસટી |
ભાજપે પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પછી બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્રીજી યાદીમાં 12 નામો જાહેર કર્યા હતા અને હવે ચોથી યાદીમાં 3 નામોની જાહેરાત કરી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 181 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ફક્ત 1 સીટના ઉમેદવારોની જાહેરાત બાકી છે.
પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે. બીજા તબક્કામાં ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 17 નવેમ્બર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.
ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન
ચરાડા ગામ ખાતે મંગળવારે ચૌધરી સમાજનું સ્નેહ મિલન અને સામાન્ય સભા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં મોટી સમાજમાં ચૌધરી સમાજના આગેવાનો અને લોકો ઉમેટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના અંદાજે બે લાખ જેટલા લોકો હાજર રહ્યા હતા. ચૌધરી સમાજના આ કાર્યક્રમને કોઇ પણ રાજકીય પક્ષ અવગણવાની હિંમત કરશે નહીં.