PM મોદીએ પૂર્ણ કર્યું દાનવીર સવજીભાઈ ધોળકિયાનું સપનું, ખુબ જ જલ્દી થશે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન

Savji Dholakia Dream Fulfilled by PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઠીના દુધાળા ખાતે 28 ઓક્ટોબરે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Savji Dholakia Dream Fulfilled by PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઠીના દુધાળા ખાતે 28 ઓક્ટોબરે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Savjibhai Dholakia, Danveer Savjibhai Dholakia, Bharat Mata Sarovar,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 નવેમ્બર 2017ના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમરેલીમાં હરિકૃષ્ણ સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)

Savji Dholakia Dream Fulfilled by PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઠીના દુધાળા ખાતે 28 ઓક્ટોબરે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ 2017માં ગાગડિયા નદી પર હરિ કૃષ્ણ સરોવરનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 નવેમ્બર 2017ના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમરેલીમાં હરિકૃષ્ણ સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન ગાગડિયા નદી પર ભારત માતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

Advertisment

દાનવીર સવજી ધોળકિયાનું સપનું

7 વર્ષ બાદ આગામી તારીખ 28મીએ દાનવીર સવજી ધોળકિયાનું સપનુંપૂ ર્ણ થશે. તો એ જ રીતે ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારે મળીને ગંગડિયા નદી પર દાદા તળાવનું નિર્માણ કર્યું અને તેનું ઉદ્ઘાટન પંડિત મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. એ જ રીતે બા ના સરોવરનું ઉદઘાટન રમેશભાઈ ઓઝાભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નારણ સરોવરનું તાબડતોબ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ લુવારીયા નજીક સંયુક્ત રાષ્ટ્ર સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રતના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ ભેંસાણ પાસે આવેલ ગોવિંદ કાકા ધોળકિયા સરોવરનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નિર્માણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 'હવે 26/11 જેવો હુમલો થાય તો…', આતંકવાદ સામે ચેતવણી આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું?

E

યુએન તળાવનું ઉદ્ઘાટન

આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુએન સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ મોહન યાદવે હરસુરપુર દેવલિયાથી લીલિયાના ક્રાંકચ સુધી ગાગડિયા નદી પર ચાલી રહેલા જળ સંચય અભિયાનની સમીક્ષા કરી હતી અને કાર્યની પ્રશંસા કરી હતી. માલૂમ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પદ્મ સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયા નદી પર તળાવોની શ્રેણી બનાવી છે. તેમજ ગાગડીયા નદી પર 50 થી વધુ તળાવો બનાવવામાં આવ્યા છે. જેના કારણે 100 થી વધુ ગામોને પાણીના સ્ત્રોતનો લાભ મળ્યો છે. તેથી મોટાભાગના ખેડૂતોએ ખેતીમાં ત્રણ પાક લઈ શકે છે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત PM Narendra Modi