ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, રાજ્યમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે

હર્ષ સંઘવીએ કહ્યું - એનો મતલબ એ નથી કે 27 તારીખ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીએ. નિયમોનું પાલન જરૂરથી કરજો પરંતુ ભૂલ થઇ ગઈ હોય તો તમારી દિવાળી બગડવા નહીં દઈએ તેનું વચન તમને આપું છું

હર્ષ સંઘવીએ કહ્યું - એનો મતલબ એ નથી કે 27 તારીખ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીએ. નિયમોનું પાલન જરૂરથી કરજો પરંતુ ભૂલ થઇ ગઈ હોય તો તમારી દિવાળી બગડવા નહીં દઈએ તેનું વચન તમને આપું છું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા (તસવીર સોર્સ - હર્ષ સંઘવી ટ્વિટર)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળીના દિવસોમાં રાજ્યના નાગરિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આજથી (21 ઓક્ટોબર) ચાલુ થઈને આવનાર 27 તારીખે રાતના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ રાજ્યમાં ઉઘરાવવામાં આવશે નહીં.

Advertisment

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દિવાળીનો તહેવાર છે અને આ દિવાળીના તહેવારમાં મારા ગુજરાતના નાગરિકો જ્યારે સવારે ઘરેથી નીકળી નાની મોટી દિવાળીની ખરીદી કરવા જાય છે. કોઈ પોતાના પરિવાર સાથે મંદિરમાં પૂજા, દર્શન કરવા જાય છે. ત્યારે તેમની સાથે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેના માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ચાલુ થઈને આવનાર 27 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઉઘરાવવામાં આવશે નહીં.

આ પણ વાંચો - ગુજરાત ટૂર : સાસણ ગીર અભ્યારણ પ્રવાસ માટે કેવી રીતે કરશો ઓનલાઈન બુકિંગ? કેટલો ખર્ચ થાય? જાણો બધું જ

ગુજરાતનો કોઇ નાગરિક હેલ્મેટ વગર કે પછી લાઇસન્સ વગર પકડાશે કે બીજા કોઇ પ્રકારના ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતા પકડાશે તો તેને ભાન થાય તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમને ફુલ આપીને તેમની જવાબદારીનું ભાન કરાવવામાં આવશે.

Advertisment

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દિવાળીના તહેવારમાં તમારા બચતથી ગરીબ પરિવાર મધ્યમ વર્ગના પરિવાર પાસે સામાન ખરીદવાના હોય, પછી તે દીવડાવો હોય કે પછી બહાર લટકાવવાના તોરણો હોય કે પછી અલગ અલગ રંગોળી પુરવાના રંગો હોય અને તે તમારા બચતની રકમ પોલીસના દંડમાં ન જાય માટે અમે આ નિર્ણય લીધેલો છે. એનો મતલબ એ નથી કે 27 તારીખ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીએ. નિયમોનું પાલન જરૂરથી કરજો પરંતુ ભૂલ થઇ ગઈ હોય તો તમારી દિવાળી બગડવા નહીં દઈએ તેનું વચન તમને આપું છું.

ગુજરાત સરકાર Bhupendra Patel Surat ગુજરાત