ગુજરાતના મોરબીમાં કૂવો ખોદતી વખતે ભૂસ્ખલનથી 3 કામદારોના મોત

Morbi 3 workers killed : મોરબીના કોટડા નાયાણી ગામ (Kotda Nayani village) માં ખેતરમાં કૂવો ખોદતા 3 મજૂરોના મોત, ભૂસ્ખલન થતા મજૂરોના મોત. રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.

Morbi 3 workers killed : મોરબીના કોટડા નાયાણી ગામ (Kotda Nayani village) માં ખેતરમાં કૂવો ખોદતા 3 મજૂરોના મોત, ભૂસ્ખલન થતા મજૂરોના મોત. રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
workers killed

કૂવો ખોદતા ભૂસ્ખલન થતા મજૂરોના મોત (Source: narendramodi.in)

ગુજરાતના મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામમાં રવિવારે કૂવો ખોદતી વખતે ભૂસ્ખલનમાં ત્રણ મજૂરોના મોત થયા હતા અને એક ખેડૂત ઘાયલ થયો હતો, પોલીસે જણાવ્યું હતું.

Advertisment

પોલીસે જણાવ્યું હતું કે, મોરબી અને રાજકોટ જિલ્લાની સરહદે આવેલા મોરબીના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામમાં તેઓ કૂવો ખોદતા હતા, ત્યારે રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. પોલીસે ખેડૂતની ઓળખ ફિરોઝ કટારિયા તરીકે અને મજૂરોની ઓળખ મનસુખ સોલંકી (44), મેગજી સીતાપરા (45) અને વિનુ ગોરિયા તરીકે કરી છે, જેઓ તમામ કોટડા નાયાણીના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે, કટારિયાએ તેના કૃષિ ખેતરમાં કૂવો ખોદવા માટે મજૂરોને રાખ્યા હતા.

આ ઘટના ત્યારે બની હતી, જ્યારે ભૂસ્ખલનમાં છૂટી ગયેલી માટીનો મોટો જથ્થો માણસો કૂવો ખોદતા હતા ત્યારે પડી ગયો હતો, પોલીસે જણાવ્યું હતું. પોલીસે ઉમેર્યું હતું કે, જ્યારે ત્રણ મજૂરોએ તેમની ઇજાઓથી દમ તોડ્યો હતો, ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 20 માર્ચે સાંજે ગટર સફાઇ કરતી વખતે બે સફાઇ કર્મચારીનું મોત થયાની એક કરુણ ઘટના બની હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે સાંજે રાજકોટમાં સમ્રાટ ઔદ્યોગિક વિસ્તાર નજીક ગટરની સફાઈ કરતી વખતે શ્વાસ રૂંધાઈ જતા બે વ્યક્તિઓના મોત થયા છે. આ કરુણ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Advertisment

આ કરુણ ઘટના મંગળવારે સાંજે 5:30 વાગ્યે બની હતી જ્યારે RMC દ્વારા નિમણુંક એક ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વોર્ડ નંબર – 13માં સમ્રાટ ઔદ્યોગિક વિસ્તારના સમ્રાટ મેઈન રોડ પર એક જેટિંગ મશીન અને મિકેનાઇઝ્ડ ક્રેઇન વડે ગટરની ગટર લાઇન સફાઇ કરી હતા. મૃતકના નામ મેહુલ મેહદા (24), અફઝલ ફુફર (24) છે, જેમની પાસે આ વિસ્તારમાં ગટર સફાઇનો કોન્ટ્રાક્ટ હતો.

આ પણ વાંચો - ગુજરાત સરકારે શ્રમિકોને આપી ભેટ: લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, જાણો કેટલી મજદૂરી વધશે? કેટલા લોકોને થશે લાભ?

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે ગુરુવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં આગની વિવિધ ઘટનાઓમાં 10 કામદારોના મોત થયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. 2021 અને 2022 ની વચ્ચે અમદાવાદમાં આગની 27 ઘટનાઓ બની હતી, જ્યારે પડોશી ગાંધીનગર જિલ્લામાં આવી અન્ય 10 ઘટનાઓ બની હતી, એમ સરકારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

ગુજરાત ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ મોરબી