/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Surendranagar-road-accident.jpg)
લખતર હાઇવે પર ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે વાહનો સામસામે અથડાયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
Surendranagar road accident: સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારના રોજ એક દુઃખદ માર્ગ અકસ્માત થયો. જેમાં 8 લોકોના મોત થયા. લખતર હાઇવે પર ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે વાહનો સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં એક કાર રસ્તાની બાજુના ખાડામાં પડી ગઈ અને તેમાં આગ લાગી ગઈ, જેના કારણે કારમાં સવાર 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યાં જ બીજી કારના ડ્રાઇવરનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું.
આ અકસ્માત બપોરે 3:30 વાગ્યાની આસપાસ થયો, જ્યારે કડુ ગામથી સુરેન્દ્રનગર જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સામેથી આવતી ટાટા હેરિયર SUV સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા અને તે ખાડામાં પડી ગઈ. થોડી જ વારમાં કારમાં આગ લાગી ગઈ, જેના કારણે તેમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહીં.
આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બીજી કારના ડ્રાઇવરને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બીજી કારમાં સવાર કેટલાક અન્ય લોકોને થોડી ઇજાઓ થઈ હતી, જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
#WATCH | Gujarat | Surendranagar DSP Girish Kumar Pandya says, "On the highway connecting Lakhtar and Surendranagar, two cars collided and one of them caught fire, killing all the 8 passengers in it. The police have shifted all the bodies to the hospital, and identification and… https://t.co/nsQWe0iJfCpic.twitter.com/DLp5K0Wet4
— ANI (@ANI) August 17, 2025
આ અકસ્માતની માહિતી મળતા જ વઢવાણ પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત પછી પોલીસે કારને ખાડામાંથી બહાર કાઢી અને આગ પર કાબુ મેળવ્યો. મૃતકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી તેમના પરિવારજનોને જાણ કરી શકાય.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
વઢવાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જાડેજાએ જણાવ્યું હતું કે 'આ અકસ્માત દેદાદરા ગામ પાસે થયો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ હાઇ સ્પીડ માનવામાં આવી રહી છે. અમે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us